સંબંધિત સમાચાર
- દ્વારકા નગરીમાં એક જ પરિવારને ત્રણ મહિલાની લાશ મળી, આત્મહત્યાની આશંકા
- દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાત, આપઘાત પાછળનું કારણ અકબંધ
- દ્વારિકામાં કૃષ્ણ જન્મોત્સવઃ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, ભગવાનને વિવિધ ભોજનિયાંનો રસભર્યો થાળ પીરસવામાં આવ્યો હતો
- દ્વારકાધીશનાં દર્શન કરવા બાળકોથી લઈને વયોવૃદ્ધ પ્રભુનાં ચરણમાં શીશ ઝુકાવવા પહોંચ્યાં
- યાત્રાધામ દ્વારકામાં વિજળી પડતાં 52 ગજની ધ્વજાને નુકસાન, મંદિર સ્થાપત્યને કોઇ નુકસાન કે જાનહાનિ નહી
દ્વારકા “દિપોત્સવી ઉત્સવ” દરમ્યાન દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે
વહીવટદાર દ્વારકાધીશ જગત મંદીર અને પ્રાંત અધિકારી દ્વારકાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દિપાવલી – નૂતન વર્ષ ઉત્સવ અન્વયે તા.૨-૧૧-૨૦૨૧ થી તા.૬-૧૧-૨૦૨૧ દરમિયાન “દિપોત્સવી ઉત્સવ” અંતર્ગત શ્રી દ્વારકાધીશ મંદીર – દ્વારકા દર્શનાર્થીઓ માટે તા.૨જી અને ૩જી નવેમ્બર - ૨૦૨૧ને વાઘબાર તથા ધનતેરશ(રૂપચૌદશ ક્ષય તિથી)ના રોજ શ્રીના દર્શન માટે નિત્યક્રમ મુજબ ખુલ્લુ રહેશે.
આ ઉપરાંત તા.૪-૧૧-૨૦૨૧ને ગુરુવારના રોજ દિપાવલીના દિવસે દર્શાનાર્થીઓ માટે શ્રી દ્વારકાધીશ જગત મંદીર શ્રીજીના દર્શન માટે નિત્યક્રમ મુજબ (અનોસર (મંદીર બંધ) બપોરે ૧-૦૦ કલાકે, ઉત્થાપન દર્શન સાંજે ૫-૦૦ કલાકે, હાટડી દર્શન રાત્રે ૮-૦૦ કલાકે તેમજ અનોસર (મંદીર બંધ) રાત્રે ૯-૪૫ કલાકે) રહેશે. જ્યારે તા.૫-૧૧-૨૦૨૧ના રોજ શુક્રવારના દિવસે નૂતન વર્ષ અન્નકુટ ઉત્સવ દરમ્યાન સવારે ૬-૦૦ કલાકે મંગલા આરતી તથા અન્નકુટ દર્શન સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક સુધી અન્યથા મંદીર નિત્યક્રમ મુજબ ખુલ્લુ રહેશે.
ભાઈબીજને તા.૦૬-૧૧-૨૦૨૧ના રોજ ભાઈબીજના દિવસે સવારે ૭-૦૦ કલાકે મંગલા આરતી બાદ મંદીર નિત્યક્રમ મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે તેમ વધુમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ જગત મંદીર ખાતે શ્રીજીના દર્શને આવતા દર્શનાર્થીઓએ સરકારશ્રીની કોવિડ – ૧૯ની ગાઈડલાઈનનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે.
આગળનો લેખ
