શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 12 જુલાઈ 2024 (16:02 IST)

ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને મળી રાહત

ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત મળી છે. જેમાં અરજદારનું મોત થતા ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે. તેમાં લતીફના પુત્ર મુસ્તાક અહેમદે બદનક્ષીનો દાવો કર્યો હતો. તેમાં અરજદારના મૃત્યુ બાદ અરજી ન ટકી શકે તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે.

2017માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન થયેલા એક વ્યક્તિના મોતના મામલે શાહરુખ ખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. મળતી માહિતી મુજબ, બોલિવુડના અભિનેતા શાહરુખ ખાન પર બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત છે. અરજદારનું મોત થતા 13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે. જેમાં બોલિવુડના અભિનેતા શાહરુખ ખાનને રાહત થઇ છે.13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા માટે નિર્દેશ કર્યો છે. જેમાં લતીફના પુત્ર મુસ્તાક અહેમદે બદનક્ષીનો દાવો કર્યો હતો તેમાં શાહરુખ ખાનની રઇશ ફિલ્મ મુદ્દે બદનક્ષીનો દાવો હતો. જેમાં હાઇકોર્ટે વારસદારોને અરજદાર બનવા પર રોક લગાવી છે.