Heeraben Modi Prayer Meet: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની યાદમાં આજે વડનગરમાં પ્રાર્થના સભા, પુષ્પાંજલિ અર્પણ કરાશે
Publish: Sun, 1 Jan 2023 (13:11 IST)
Updated: Sun, 1 Jan 2023 (13:41 IST)
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની સ્મૃતિમાં આજે તેમના પૈતૃક સ્થળ વડનગર ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે. પ્રાર્થનાસભા સવારે 9:00 થી બપોરે 12:00 દરમિયાન યોજાશે. હીરાબાની તબિયત અચાનક બગડતાં 28 ડિસેમ્બરે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના મેડિકલ બુલેટિન મુજબ, 100 વર્ષીય હીરાબેન મોદીનું 30 ડિસેમ્બરે સવારે 3:30 વાગ્યે નિધન થયું હતું. પીએમ મોદીએ ગાંધીનગરમાં માતાના અંતિમ સંસ્કાર કર્યા.
PM એ 30 ડિસેમ્બરે સવારે એક ટ્વીટ કરીને તેમની માતાના નિધનની માહિતી આપી હતી અને થોડીવાર પછી તેઓ ગુજરાતની રાજધાની ગાંધીનગર જવા રવાના થયા હતા. પીએમ મોદી તેમની માતાના ચરણ સ્પર્શ કરતા અને પુષ્પાંજલિ આપતા જોવા મળ્યા હતા. હીરાબાના પાર્થિવ દેહને તેમના નાના પુત્ર પંકજ મોદીના ગાંધીનગરના રાયસન ખાતેના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. વડા પ્રધાન ત્યાં પહોંચ્યા અને ફ્લોર પર હીરા બા સામે ઘૂંટણિયે બેસી ગયા અને થોડીવાર તેમની સામે જોયા.
Publish: Sun, 1 Jan 2023 (13:11 IST)
Updated: Sun, 1 Jan 2023 (13:41 IST)