સંબંધિત સમાચાર
- PM મોદીના મોરબી પ્રવાસથી હોસ્પીટલમાં કલરકામ, કેબિનો ઉભી કરાઈ
- મોરબી દુર્ઘટનામાં કાળી ટીલી લાગતા ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા
- મોરબી બ્રિજ અકસ્માત પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વ્યક્ત કર્યો શોક, કહી આ વાત
- અટલ બ્રિજને લઇને એલર્ટ જાહેર, 1 કલાકમાં 3 હજારથી વધુ લોકો જઇ શકશે નહી
- Morbi Live: PM મોદી આજે મોરબીની મુલાકાતે, પુલ અકસ્માતમાં ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળશે
PM મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલની કાયાપલટ, વિપક્ષે કરી ટીકાઓ કરી
મોરબીમાં સિવિલ હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તે પીડિતો સાથે મુલાકાત કરશે જેઓ પુલ પડ્યાની ભયાવહ દુર્ઘટનામાં બચી ગયા છે. હોસ્પિટલનુ આ રીતે રંગરોગાન કરવાની વિપક્ષી દળોએ આકરી ટીકા કરી છે.
મચ્છુ નદી પર બનેલા ઝુલતા પુલના પડી જવાની જીવલેણ ઘટના બાદ વડાપ્રધાન મંગળવારે મોરબીની મુલાકાત લેશે. 100થી વધારે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી અમુક મોરબીના સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલની દિવાલો અને છતના કેટલાક ભાગોને બીજીવાર રંગવામાં આવ્યા તેમજ નવા વોટર કુલર લગાવવામાં આવ્યા. બે વોર્ડમાં બેડની ચાદરો પણ બદલવામાં આવી, જ્યાં પુલ દુર્ઘટનામાં લગભગ 13 ઈજાગ્રસ્ત લોકો દાખલ છે. મોડી રાતે અમુક લોકો સમગ્ર પરિસરમાં કચરો વાળતા પણ જોવા મળ્યા. ટોચના સરકારી પદાધિકારીઓની મુલાકાત પહેલા સામાન્ય રીતે કરવામાં આવતી આ પ્રકારની કાયાપલટની ટીકા થઈ રહી છે. વિપક્ષી દળો કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ભાજપ પર વડાપ્રધાનનુ 'ફોટોશૂટ' કરવા માટે 'ઈવેન્ટ મેનેજમેન્ટ'માં વ્યસ્ત હોવાનો આરોપ લગાવ્યો છે.
