Virat Kohli Step Down- ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી છોડશે કેપ્ટનશીપ
Publish: Mon, 13 Sep 2021 (09:57 IST)
Updated: Wed, 13 Oct 2021 (19:18 IST)
ભારતીય ક્રીકેટ ટીમની અંદર વ્હાઈટ બૉલ ક્રિકેટ માટે થોડા સમયમાં એક મોટુ ફેરફાર થવાની શકયતા છે. ટીમના હાજર કપ્તાન વિરાટ કોહલીના ઓક્તોબર નવેમ્બરમાં સંયુક્ત અમીરાત અને ઓમાનમાં થનાર ટી 20 વર્લ્ડ કપ બાદ વનડે અને ટી 20ના કપ્તાનીથી હટવાની આશા છે અને ત્યારબાદ રોહિત શર્માને લોમિટેડ ઓવરોમાં ટીમ ઈંડિયાના કપ્તાન બનાવવાની શકયતા છે. આ વાતની જાણકારી રાખનાર સૂત્રોએ દ ટાઈમ્સ ઑફ ઈંડિયાને તેની જાણકારી આપી છે.
સૂત્રોએ દ ટાઈમ્સ ઑફ ઈંડિયાને કંફર્મ કરતા કહ્યુ કે 32 વર્ષના વિરાટ કોહલીએ જે આ સમય બધા ફાર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યા છે અને ભારતના અત્યાર સુધીના સૌથી સફળ કપ્તાન છે 34 વર્ષના રોહિત શર્માની સાથે કપ્તાની કરી જવાબદારીને શેયર કરવાનો નિર્ણય કર્યુ છે. અહેવાલમાં કહ્યુ છે કે કોહલીએ ગયા કેટલાક મહીનામા% રોહિત શર્મા અને ટીમ મેનેજમેટની સાથે આ મુદ્દા પર લાંબી ચર્ચા કરી છે.
સુત્રોનો કહેવુ છે કે ત્રણ ફાર્મેટમાં કપ્તાનીના દબાણના કારણે કોહલીની બેટીંગ પર અસર પડી રહ્યુ છે. કોહલીનો પણ માનવુ છે કે બધા ફાર્મેટમાં તેની બેટીંગને વધારે સમય અને વધુ સ્પીફની જરૂર છે. તેણે કહ્યુ વિરાટ પોતે તેની જાહેર કરશે. તે તેમની બેટીંગ પર ધ્યાપ આપવાની જરૂરિયાતોથી વાકેફ. તેથી જ તેને વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન કહેવામાં આવે છે કારણ કે તે તેની બેટિંગ વિશે જાણે છે. 2022 અને 2023 ની વચ્ચે, ભારતમાં બે વર્લ્ડ કપ (વનડે અને
ટી 20) રમવાની છે, આવી સ્થિતિમાં કોહલીની બેટિંગ મહત્વની માનવામાં આવે છે.
Publish: Mon, 13 Sep 2021 (09:57 IST)
Updated: Wed, 13 Oct 2021 (19:18 IST)