સંબંધિત સમાચાર
- Big News - ત્રીજી લહેરની આશંકાને જોતા સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, હવે લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી
- CBSE 12th Result 2021 Updates: સીબીએસઈ 12માંનુ પરિણામ કેવી રીતે ચેક કરશો , જાણો અહી
- ભારતીય સૈન્યના પેરા એથલેટ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઇ થયા
- ચાર્જીંગમાં મોબાઇલ રાખીને ફોન પર વાત કરી રહી હતી યુવતિ, મોબાઇલમાં બ્લાસ્ટ થતાં યુવતિનું મોત
- ખજાનાની શોધમાં 1200 વર્ષ જૂના શિવ મંદિરમાં ચોરોનું કર્યું ખોદકામ
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાએ ગુજરાતને આપી ભેટ, હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે રોજ કરી શકશે હવાઈ મુસાફરી
ગુજરાત સહિત દેશના દરેક રાજ્યના ખૂણે ખૂણાને હવાઈ સેવાઓ સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ હેઠળ હવે ગુજરાત (Gujarat) ના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ફ્લાઇટ્સ (Bhavnagar to Delhi-Mumbai Flight) શરૂ કરવામાં આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia) એ ગુરૂવારે જણાવ્યું હતું કે 20 ઓગસ્ટથી પહેલીવાર ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇ માટે રોજની ફ્લાઇટ્સ શરૂ થશે.
20 अगस्त से नई दिल्ली से भावनगर के लिए पहली बार प्रतिदिन मिलने वाली विमान सेवा की शुरुआत होने जा रही है। साथ ही मुम्बई से भावनगर के लिए भी उसी दिन से प्रतिदिन विमान सेवा की शुरुआत होगी।
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 29, 2021
निश्चित ही भावनगर के नागरिकों के लिए दिल्ली और मुम्बई आवागमन में सुलभता होगी।
સિંધિયાએ ટ્વિટ કરીને કહ્યુ કે, “નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી પહેલીવાર રોજની ફ્લાઈટનુ સંચાલન શરૂ થશે. આ સાથે, મુંબઈ-ભાવનગર વચ્ચેની ફ્લાઈટ પણ 20 ઓગસ્ટથી શરૂ થશે. "તેમણે કહ્યું કે આને લીધે ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી સરળ થઈ જશે. જોકે, તેમણે આ સ્પષ્ટ કર્યું નથી કે આ રૂટ પર કઈ એરલાઇન્સ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.
