webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. auto

રિક્ષાચાલકોની માગ નહીં સંતોષાતા 7મી જુલાઈએ હડતાળની ચીમકી

auto
ઓટો રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશને આગામી 7 જુલાઈએ હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સરકારે આત્મનિર્ભર પેકેજમાં રિક્ષાચાલકો પ્રત્યે નકારાત્મક અભિગમ દાખવ્યો છે.  આ અંગે ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે, સરકારે કોરોના મહામારીથી થયેલા નુકસાનમાં તથા લૉકડાઉન દરમિયાન આર્થિક સહાય કરવાની ના પાડી હતી. આ ઉપરાંત  બેંકના નિયમ મુજબ જ લોન મળશે તેમ જણાવ્યું હતું. આત્મનિર્ભર યોજના અંતર્ગત દસ્તાવેજો ભેગા કરવા ઘણા જ મુશ્કેલ છે અને તેના નિયમો પણ ખૂબ કડક હોવાથી તમામ રિક્ષાચાલકોને આ સહાય મળી શકે તેમ નથી. આમ રિક્ષાચાલકોએ 7 જુલાઈ 2020ના રોજ વિરોધ દર્શાવવા માટે એક દિવસની પ્રતીક હડતાલનું હથિયાર ઉગામ્યું છે. આ સંપૂર્ણ આંદોલનની જવાબદારી ઓટોરિક્ષા ચાલકોના અગ્રણી આગેવાન અશોક પંજાબીના નેજા હેઠળ કરવામાં આવશે, જેમાં અમદાવાદના વિવિધ સાત યુનિયનો દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે.
ये भी पढ़ें
રાજ્ય સરકાર સામે સોશિયલ મીડિયામાં આંદોલન શરુ થયુંઃ સરકાર નહીં માને તો રસ્તે ઉતરશે