સંબંધિત સમાચાર
- Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ સુધી પડશે હાડ ધ્રુજાવનારી ઠંડી, તાપમાનમાં આવશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો
- મહાકાલના દર્શન કરીને પરત ફરતી વખતે ઈન્દોરમાં ટ્રોલી અને ટ્રાવેલર વચ્ચે ટક્કર, 4ના મોત
- અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પ્રથમ ઈંટ નાખનાર કામેશ્વર ચૌપાલ કોણ છે? જેણે અંતિમ શ્વાસ લીધા
- બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના પિતા શેખ મુજીબના ઘરને સળગાવ્યું
- સરકારી દવાખાનાનું મોટુ બ્લંડર - 7 વર્ષના બાળકને ટાંકા લેવાને બદલે નર્સે લગાવ્યુ ફેવિકોલ
મહાકુંભમાં ફરી આગ ફાટી નીકળી, અનેક લોકો ઘાયલ... ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર હાજર
પ્રયાગરાજમાં આયોજિત સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર નંબર 18માં આગ લાગી હતી. આગ લાગતા ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું.
કેટલાક લોકો ઘાયલ થયા હોવાની માહિતી
તમને જણાવી દઈએ કે મહાકુંભ મેળા વિસ્તારના શંકરાચાર્ય માર્ગ પર સ્થિત સેક્ટર 18માં આગ લાગી હતી. આકાશમાં કાળો ધુમાડો દેખાય છે. આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. CFOનો દાવો છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.
