સંબંધિત સમાચાર
- હવે ગુજરાતમાં મોદી કે રાહુલનો વેવ કામ નહીં કરે, મતદાતાઓ નહીં પણ અપક્ષ ઉમેદવારો અસરકારક સાબિત થશે
- શું ગુજરાતમાં કોંગ્રેસ વેચાઈ ગઈ ? ટોચના જુના કોંગ્રેસી નેતાઓને ટિકીટ ના મળી
- મોદીની મણીનગર બેઠક પર કોંગ્રેસે આ ગ્લેમર્સ ગર્લને ટિકિટ ફાળવી
- BJP Vs Congress - અમદાવાદની બેઠકો પર કોંગ્રેસે નબળા ઉમેદવારોની પસંદગી કરી, ટોચના નેતાઓએ રોકડી કરી લીધી
- અમદાવાદમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ મેયર, નેતા સહિતના નેતાઓ ટિકીટ નહીં મળતાં નિરાશ
મરી પણ ગયો તો પણ જીત મારી જ થશે.. હાર્દિક પટેલ
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસન હાથ પકડીને ભાજપા માટે થોડી મુશ્કેલી તો ઉભી કરી દીધી છે. જે રીતે તેમણે ટ્વિટ કર્યુ છે તેને જોઈને લાગે છે કે તેઓ પોતાની જીત અને રાજનીતિક ભવિષ્યને લઈને શંકામાં છે.
હાર્દિકે એક ટ્વીટ કરીને કહ્યુ કે હુ આજની આ ક્રાંતિનો અભિમન્યુ છુ. ઘેરાઈને મરી પણ જઉ તો પણ્ણ મારી જીત થશે. હુ ક્યારેય આંદોલનમાંથી જુદો નથી થઈ શકતો..
પટેલના આ ટ્વીટના જવાબમાં સતેન્દ્ર શર્મા નામના વ્યક્તિએ લખ્યુ કે ચા વેચીશ પણ દેશ નહી.. મોદીજીના ભાષણની આ એક સિંગલ લાઈન ગુજરાતમાં કોંગ્રેસના તાબૂતમાં એક ખીલી ઠોકવા માટે પુરતો છે. સ્વાતિ નામની ટ્વિટર હેંડલ પરથી લખવામાં આવ્યુ છે કે તમારી લાઈન સુધારો. તમે અભિમન્યુ નથી રાખી સાવંત છો.. બદનામ થશો તો શુ.... નામ તો થશે..
એક અન્ય ટ્વિટમાં હાર્દિકે લખ્યુ કે ગાયની હત્યાનો કોઈને અધિકાર નથી. ગાયની હત્યાના નામ પર કોઈનો જીવ લેવો પણ પાપ છે. જેને ગાયની હત્યા કરી છે તેને જેલમાં નાખો અને જેને ગાયના નામ પર કોઈ બીજાની હત્યા કરી છે તેને પણ..
मैं आज की इस क्रांति का अभिमन्यु हूं लेकिन घिरकर मर भी जाऊंगा तो भी मेरी जीत होगी, मैं कभी आंदोलन से अलग नही हो सकता: @DrKumarVishwas pic.twitter.com/V0QCb8pC9m
— Hardik Patel (@HardikPatel_) November 27, 2017
ભાજપા અને આરએસએસ પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે નાગપુર અને સત્તામાં બેસેલા લોકો કહી રહ્યા છે કે 50 ટકાથી વધુ અનામત નથી આપી શકાતુ. જ્યારે કે સંવિધાનમાં આવુ ક્યાય નથી લખ્યુ.
હાર્દિક અંગે ગુજરાતની જનતા અને વિશેષ કરીને પાટીદારો શુ વિચારે છે એ ખબર નથી પણ ભારતના લોકો હાર્દિકથી ખૂબ નારાજ છે.. એનો અહેસાસ તો હાર્દિકના આ ટ્વિટ પર આવેલા રીટ્વીટ પરથી જ જાણી શકાય છે.
