સંબંધિત સમાચાર
- Yaariyan 2 ના સીન પર થયો વિવાદ, ફિલ્મના મેકર્સને આપી ચેતવણી
- અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનો કરોડોનો ફ્લેટ ખરીદ્યો હતો
- રૂબીના દિલૈકની બેન નૈનાએ કાપી નાખી નવી ટી-શર્ટ વીડિયોમાંન જુઓ બેનોની પાગલપંતી
- 'પરિવર્તન એ જીવનનો નિયમ છે, Arjun Kapoor સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી
- National Film Awards 2023: પંકજ ત્રિપાઠી અને પલ્લવી જોશી અભિનયમાં સર્વશ્રેષ્ઠ, 4 ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્થાન
Aparna Nair Death: જાણીતી અભિનેત્રી અપર્ણા નાયરે કર્યુ સુસાઈડ, અભિનેત્રીની અંતિમ પોસ્ટ જોઈને આખો થઈ જશે નમ
Aparna Nair
Aparna Nair Found Dead At Her Home: મલયાલમની જાણીતી અભિનેત્રી અપર્ણા નાયરે 31 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે અપર્ણા નાયર 31 ઓગસ્ટના ગુરુવારે સાંજે કેરળના તિરુવનંતપુરમમાં તેના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવી હતી. અભિનેત્રીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં ડોક્ટરે અપર્ણા નાયરને મૃત જાહેર કરી. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયરના નિધનથી લોકોને આઘાત લાગ્યો છે. અપર્ણા નાયરે તેના મૃત્યુના થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લી તસવીર શેર કરી હતી. જેમાં તે પોતાની દીકરી પર ઘણો પ્રેમ વરસાવી રહ્યો છે. અભિનેત્રીના પરિવારમાં પતિ અને બે પુત્રીઓ છે. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સુખી પરિવારની સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હતી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રીના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અભિનેત્રીના મૃત્યુથી તેનો પરિવાર, ચાહકો અને તેના તમામ પ્રિયજનો આઘાતમાં છે. તેનું આખું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના સુંદર પરિવારના વીડિયો અને તસવીરોથી ભરેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ ગળેફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો છે.
અનેક ફિલ્મો અને ટીવી શો માં જોવા મળી ચુકી છે Aparna Nair
અભિનેત્રી અપર્ણા નાયર મલયાલમની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક હતી. તેણે પોતાના કરિયરમાં ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. આત્મસાખી, મૈથિલી વેદમ વરુમ અને દેવસ્પર્શમ જેવા ઘણા શોમાં જોવા મળી હતી. અભિનેત્રી અપર્ણા નાયરે તેની કારકિર્દીમાં મેઘાતીર્થમ, કોડાથી સમક્ષમ બાલન વકીલ, મુથુગૌ, આચાયન્સ અને કલ્કી જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
