ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા
bol chauth vrat katha
બોળ ચોથ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવાતો પવિત્ર તહેવાર છે. આ તહેવાર ખાસ કરીને ગાય માતાની પૂજા માટે ઊજવાય છે અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનના કલ્યાણ માટે ઉપવાસ રાખે છે અને ગાય માતાની પૂજા કરે છે.
31 ઓગસ્ટ 2026ના રોજ ઉદીત તિથિ શ્રાવણ વદ 3 હોવાથી કજલી ત્રીજ પંચક યોગે રહેશે, જે સવારે 08:51એ પૂર્ણ થવાથી ચોથનો પ્રારંભ થશે. આ દિવસે સંકટ ચતુર્થી અને બોળ ચોથની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે.
બોળ ચોથ પૂજા વિધિ
આ દિવસે મહિલાઓ બાજરીનો રોટલો અને મગ ખાઈને સંધ્યાટાણે એકટાણું કરે છે. આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ વર્ષ દરમિયાન જાણતા-અજાણતા થયેલા ગૌમાતાના પાપોમાંથી ક્ષમા-યાચના માગવાનો છે. તેમજ બારેમાસ દૂધ આપતી ગાય માતાનો ઋણ ઉતારવાનો છે. નોંધનીય છે કે, બોળચોથ સોમવારે હોવાથી ભગવાન ભોળાનાથની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગાયની પૂજા કરાય છે. સ્ત્રીઓ દુધ અને દુધથી બનેલા તમામ પદાર્થોનું ત્યાગ કરે છે. ગાયને ફૂલ હાર પહેરાવી તિલક કરાય છે અને ખાસ ખોરાક અપાય છે. સાંજના સમયે ગાયની પૂજા કર્યા પછી ઉપવાસ તોડવામાં આવે છે.
શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને બોળચોથ કે બહુલા ચોથ કહેવામાં આવે છે. બોળચોથ વિશે બે પૌરાણિક કથાઓ પ્રસિદ્ધ છે.
બોળ ચોથ વ્રત કથા
અન્ય પૌરાણિક કથા અનુસાર, કામધેનુ ગાય ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ જોવા માટે 'બહુલા'ના રૂપમાં નંદજીની ગૌશાળામાં પ્રવેશી હતી. કાનુડાને પણ આ ગાય ખૂબ પસંદ હતી, તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા.
ALSO READ: શીતળા સાતમ વ્રત કથા - શીતળા સાતમ વ્રતની વિધિ
બહુલા પાસે એક વાછરડું પણ હતું. એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ, ચરતાં ચરતાં તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ખૂબ ડરી ગઈ, તેને ફક્ત તેના વાછરડાના જ વિચારો આવી રહ્યા હતા. સિંહ તેની તરફ આગળ વધ્યો, બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે, તે તેને ખવડાવીને પાછી આવશે, પછી તે તેને પોતાનો શિકાર બનાવે.
સિંહે કહ્યું, હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ હોય છે, જે બહુલાની પરીક્ષા કરવા આવ્યા હોય છે.
શ્રીકૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે ,કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને ગાય માતા તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે.