ખેડૂતોને અલ્ટીમેટમ - પોલીસે ગાજીપુર બોર્ડર ખાલી કરવાનુ કહ્યુ, પાણીની સપ્લાય રોકી, દિલ્હીમાં નેતાઓની બેઠક
દિલ્હીમાં મંગળવારે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. દિલ્હી અને યુપીની પોલીસ ગાઝીપુર સરહદ પર પહોંચી ગઈ છે પોલીસે આજે રસ્તો ખાલી કરવા ખેડૂતોને જણાવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી અને યુપી પોલીસ સરહદને સાફ કરવા માટે સંયુક્ત કામગીરી કરી શકે છે. દરમિયાન, દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી છે.
પોલીસના આગમન સાથે ગાઝીપુર સરહદે આંદોલનકારી ખેડુતોનો પાણી પુરવઠો કાપવામાં આવ્યો છે. પોલીસે અહીં સ્થાપિત પોર્ટેબલ શૌચાલયો પણ હટાવવાનું શરૂ કરી દીધું છે. અહીં યુ.પી. રોડવેઝની ડઝનબંધ બસો પણ ઉભી કરવામાં આવી છે. બીજી તરફ બાગપતમાં 40 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોને બુધવારે રાત્રે પોલીસે હટાવ્યા હતા.
ખેડૂત નેતાઓ સામે લુકઆઉટ નોટિસ ફટકારી
ગુરુવારે મંગળવારના વિક્ષેપમાં સામેલ ખેડૂત આગેવાનો સામે લુકઆઉટ નોટિસ ફટકારી હતી. હવે તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે, જેથી તેઓ પરવાનગી વિના વિદેશ નહીં જઇ શકે. સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે પોલીસે જે 37 નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી તેમાંથી 20 સામે આ નોટિસ ફટકારવામાં આવી છે
લાલ કિલ્લામાં હિંસા કરનારાઓ સામે રાજદ્રોહનો કેસ
સમાચાર એ પણ છે કે પોલીસે લાલ કિલ્લામાં હિંસા કરનારાઓ સામે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. અગાઉ, પોલીસે 20 ખેડૂત નેતાઓને નોટિસ ફટકારીને પુછ્યુ હતુ કે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવામાં આવે, તેનો જવાબ 3 દિવસમાં આપો. તેમાંથી 6 ના નામ જાહેર થયા છે. આ નેતાઓ છે રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, બલદેવસિંહ સિરસા, બલબીરસિંહ રાજેવાલ અને જગતારસિંહ બાજવા.
સિંઘુ બોર્ડર પર ખેડૂતો વિરુદ્ધ દેખાવો શરૂ
#WATCH | Delhi: Group of people claiming to be locals gather at Singhu border demanding that the area be vacated.
— ANI (@ANI) January 28, 2021
Farmers have been camping at the site as part of their protest against #FarmLaws. pic.twitter.com/7jCjY0ME9Z
બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોને હવે લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે બપોરે કેટલાક લોકોએ સિંઘુ બોર્ડર પર પહોંચ્યા બાદ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોના હાથમાં પ્લેકાર્ડ હતા, જેમાં લખ્યું હતું કે તેઓ ત્રિરંગાનું અપમાન સહન કરશે નહીં
