સંબંધિત સમાચાર
- Aadhar Card Update: આધાર કાર્ડ અપડેટ નથી થયું તો 14 ડિસેમ્બર પહેલા કરી લો આ કામ
- Post Office ની આ 4 સ્કીમ બનાવશે માલામાલ, 12500ના બની જશે 1.03 કરોડ
- Bank Holidays in December 2023: ડિસેમ્બરમાં બેંકોમાં 18 દિવસની રજા રહેશે, રાજ્યો અનુસાર સંપૂર્ણ યાદી
- કુંવરબાઈનું મામેરું યોજના 2023 - લગ્ન માટે સરકાર આપી રહી છે સહાય
- Atal Pension Yojana: પતિ-પત્નીને દર મહિને દસ હજાર રૂપિયાનું પેન્શન મળશે, આ રીતે કરો અરજી
PMJDY: પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠણ 51 કરોડથી વધુ ખાતા ખોલ્યા, 2 લાખ કરોડથી વધુ જમા થયા - નાણા મંત્રાલય
Pradhan Mantri Jan Dhan Yojana: પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠણ અત્યાર સુધી કેટલા લાભાર્થીઓ છે, કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે અને કેટલી રકમ જમા છે? નાણા મંત્રાલયે સંસદમાં તમામ બાબતોનો હિસાબ આપ્યો છે.
નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં માહિતી આપી છે કે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 51.04 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. 9 વર્ષ પહેલા શરૂ થયેલી આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં PMJDY યોજનાના 51 કરોડ બેંક ખાતાઓમાં 2.08 ટ્રિલિયન (રૂ. 2 લાખ કરોડથી વધુ)ની રકમ જમા કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ ડેટા 29 નવેમ્બર, 2023 સુધીનો છે અને જન-ધન ખાતાઓમાં 2,08,855 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના શું છે?
દેશમાં તમામ વર્ગોને નાણાકીય સમાવેશ હેઠળ લાવવાના રાષ્ટ્રીય મિશન હેઠળ 28 ઓગસ્ટ 2014ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. PMJDY સિવાય, અન્ય ઘણી નાણાકીય સમાવેશ યોજનાઓમાં મુદ્રા યોજના અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાનો સમાવેશ થાય છે.
