સંબંધિત સમાચાર
- હવે અમદાવાદ પોલીસની આ ઝૂંબેશથી દારુડિયાઓ નહીં બચી શકે,
- ટ્રાફિક-દબાણ ઝુંબેશમાં એક હજારથી વઘુ વેપારીઓને નોટીસ, 500 વાહનચાલકોને દંડ
- શું ટ્રાફિકનાં નિયમો માત્ર નગરજનો માટે જ હોય છે?, સરકારી વાહનચાલકોને કોઇ કાયદો નડતો નથી?
- વાહનચાલકો રાજ્યની કોઇપણ આર.ટી.ઓ. કચેરીમાંથી ડ્રાયવિંગ લાયસન્સ રીન્યુ કરાવી શકશે : અરજદારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે
- લોક રક્ષકની પરીક્ષાના ઉમેદવારોને વળતર આપવા અને પોતાના જીલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવા ઉગ્ર માંગ
લૂંટો ભાઈ બધા ભેગા થઈને પબ્લિકને લૂંટો! ટ્રાફિક દંડની રકમમાં બેંકોમાં 18 ટકા સર્વિસ ચાર્જ , 3 ટકા જીએસટી વસુલાય છે
ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-મેમો આવે અને તેનો દંડ ભરવા વાહનચાલક બેંકમાં જાય તો તેની પાસેથી દંડની રકમ ઉપરાંત ૧૮ ટકા સર્વિસ ચાર્જ અને ૩ ટકા જીએસટીની રકમ વસુલી લેવાય છે. આ મામલે વાહનચાલકો બંન્ને બાજુએથી દંડાઇ રહ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આમ ૧૦૦ રૃપિયાના દંડની રકમ બેંકમાં ભરવા જતા વાહનચાલકે ૧૨૧ રૃપિયા ચૂકવવા પડી રહ્યા છે.
ઇ-મેમાથી દંડીત થયેલા વાહનચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો એસબીઆઇ બેંકમાં દંડની રકમ ભરી શકે છે. પોલીસ સ્ટેશનમાં તેણે ફક્ત દંડની રકમ જ ચૂકવવાની થતી હોય છે. જ્યારે વાહનચાલક દંડની રકમ બેંક મારફતે ભરવા જાય ત્યારે તેની પાસેથી દંડની રકમ પર ૨૧ ટકા વધુ રૃપિયા લઇ લેવાય છે. જેના લીધે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અગે વાહનચાલકોના જણાવ્યા મુજબ કેટલીક એસબીઆઇ બેંકમાં આ અંગેના બોર્ડ પણ મારી દેવાયા છે. નવાઇની વાત એ છેકે બેંક જે રસીદ આપે છે તેમાં વધારાના પૈસા શેના લીધા તેનો કોઇપણ પ્રકારનો ઉલ્લેખ કરાતો નથી.
જેને લઇને વાહનતચાલકો મુંઝવણની સ્થિતિમાં મુકાઇ જાય છે. બેંકે રસીદમાં દંડની રકમ પર ૧૮ ટકા સર્વિસ ચાર્જ અને ૩ ટકા જીએસટી વસુલ્યો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાની માંગણી ઉઠવા પામી છે. પોલીસ સ્ટેશનોમાં દંડની રકમ સ્વીકારવાનો સમય સવારે ૮ થી રાતના ૮ વાગ્યા સુધીનો કરી દેવાની પણ માંગણી ઉઠવા પામી છે.
ઇ-મેમાથી દંડીત થયેલા વાહનચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો એસબીઆઇ બેંકમાં દંડની રકમ ભરી શકે છે. પોલીસ સ્ટેશનમાં તેણે ફક્ત દંડની રકમ જ ચૂકવવાની થતી હોય છે. જ્યારે વાહનચાલક દંડની રકમ બેંક મારફતે ભરવા જાય ત્યારે તેની પાસેથી દંડની રકમ પર ૨૧ ટકા વધુ રૃપિયા લઇ લેવાય છે. જેના લીધે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અગે વાહનચાલકોના જણાવ્યા મુજબ કેટલીક એસબીઆઇ બેંકમાં આ અંગેના બોર્ડ પણ મારી દેવાયા છે. નવાઇની વાત એ છેકે બેંક જે રસીદ આપે છે તેમાં વધારાના પૈસા શેના લીધા તેનો કોઇપણ પ્રકારનો ઉલ્લેખ કરાતો નથી.
જેને લઇને વાહનતચાલકો મુંઝવણની સ્થિતિમાં મુકાઇ જાય છે. બેંકે રસીદમાં દંડની રકમ પર ૧૮ ટકા સર્વિસ ચાર્જ અને ૩ ટકા જીએસટી વસુલ્યો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાની માંગણી ઉઠવા પામી છે. પોલીસ સ્ટેશનોમાં દંડની રકમ સ્વીકારવાનો સમય સવારે ૮ થી રાતના ૮ વાગ્યા સુધીનો કરી દેવાની પણ માંગણી ઉઠવા પામી છે.
