સંબંધિત સમાચાર
- કમલનાથ પોતાના મંત્રીઓને કંટ્રોલમાં રાખે અને બીનજરુરી નિવેદનોથી દુર રહેઃ નિતીન પટેલ
- સજા આપવા શિક્ષકે વિદ્યાર્થીનું દબાવ્યું ગળુ, માતા-પિતા પહોંચ્યા ઇન્સ્ટિટ્યૂટ
- અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ૯૬ શાળા બંધ કરી સરકારી પ્રાથમિક શાળાઓમાં ૯૯૪૩ શિક્ષકોની ઘટ
- કચ્છના નાના રણમાં ૧૧૦ નદીના પાણીનો સંગ્રહ થશે
- ભાજપના પૂર્વ ધારાસભ્યએ એક્ટિવિસ્ટને ધમકી આપી, અગાઉ પણ તેમના વિવાદો હતાં
અમદાવાદમાં એક મહિનામાં 46 પુરૂષ અને 17 મહિલાઓએ આત્મહત્યા કરી
અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં બીમારીથી કંટાળી, ઘરેલુ હિંસા અને અગમ્ય કારણોસર એક મહિનામાં 46 પૂરુષ અને 17 મહિલા મળી કુલ 63 લોકોએ આપઘાત કર્યો છે.મોટા ભાગના કેસમાં આપઘાત કરવા પાછળનું કારણે જાણવા મળતું નથી. અમુક કિસ્સાઓમાં સ્યુસાઇડ નોટ હોવાથી આપઘાતનું કારણ જાણી શકાય છે. તે સિવાય બીમારીથી કંટાળીને આપઘાત કરવાના બનાવો પણ વધી રહ્યાં છે. સૌથી વધુ ગળેફાંસો ખાઈને લોકો આપઘાત કરે છે. તપાસમાં સામે આવ્યું કે 63માંથી 47 લોકોએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આપઘાતના બનાવનું પ્રમાણે સૌથી વધુ છે. આંકડા મુજબ 3 વ્યક્તિઓ નદીમાં પડતુ મૂકીને, 2 વ્યક્તિએ દવા પીને, 5 વ્યક્તિએ એસિડ પીને, 2 વ્યક્તિએ ધાબા પરથી પડતુ મુકીને, એક વ્યક્તિએ ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી.
