સંબંધિત સમાચાર
- વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માણસામાં કર્યો યોગાભ્યાસ
- ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો, લોકોને સાચી માહિતી આપવા અપીલ
- ગુજરાતમાં 'આપ'ના કાર્યકરોની ધરપકડ મુદ્દે કેજરીવાલ આક્રમક: CM ભૂપેન્દ્ર પટેલ પાસે માંગ્યો મળવાનો સમય
- આંગણવાડી સેવાઓ થશે હાઈટેક : 53 હજાર બહેનોને CM આપશે 5G સ્માર્ટફોનની ભેટ!
- LPG સંકટ વચ્ચે ગુજરાતનો માસ્ટરસ્ટ્રોક: બનાસ ડેરીના પ્લાન્ટમાં રોજ બને છે 1800 KG બાયોગેસ; 15 રાજ્યો અપનાવશે આ મોડેલ
ગુજરાતમાં રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, 0થી 5 વર્ષના 82 લાખથી વધુ બાળકોને અપાશે પોલિયોના બે ટીપાં
ગુજરાતમાં 28 જૂનના રોજ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અભિયાનનો શુભારંભ કરીને તમામ વાલીઓને પોતાના 0થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં જરૂર પીવડાવવાની અપીલ કરી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ ગુજરાતભરમાં 82 લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે. આ રસી સંપૂર્ણપણે મફત, સલામત અને અસરકારક છે, જે બાળકોને પોલિયો જેવા ગંભીર અને કાયમી અપંગતા સર્જી શકે એવા ચેપી રોગથી સુરક્ષા આપે છે.
ગાંધીનગર શહેરમાં પણ પલ્સ પોલિયો મહાઅભિયાન અંતર્ગત અનેક રસીકરણ કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે વાલીઓને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાના પાંચ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળકને નજીકના રસીકરણ કેન્દ્ર સુધી લઈ જઈને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવે અને દેશને પોલિયોમુક્ત રાખવાના આ જનઆંદોલનમાં સહભાગી બને.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોં દ્વારા અપાતા માત્ર બે ટીપાં બાળકોને લાંબા સમય સુધી રક્ષણ આપે છે. પોલિયો એક જીવલેણ અને લકવો પેદા કરનાર ચેપી રોગ છે, જેને માત્ર સમયસરના રસીકરણ દ્વારા જ સંપૂર્ણપણે અટકાવી શકાય છે.
રાજ્ય સરકારે તમામ વાલીઓને અપીલ કરી છે કે કોઈપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે, જેથી ગુજરાત અને દેશને પોલિયોમુક્ત રાખવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવી શકાય.
