1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ. , મંગળવાર, 10 જૂન 2025 (15:01 IST)

18 વર્ષથી ગુજરાતની આ સીટ બીજેપીના પહોચથી દૂર, શુ આ વખતે 162 મી સીટ જીતીને કમાલ કરી બતાવશે ? આપ ના 'હીરો' સામે સીઆર પાટિલે ખુદ લીધી કમાન

visavadar vs aap
visavadar vs aap
ગુજરાત વિધાનસભાની 182 મા 161 સીટ પર કબજો કરનારી બીજેપીએ વિસાવદર સીટ પર જીત મેળવવા માટે પોતાની તાકત લગાવી દીધી છે. ગુજરાતમાં બીજેપીને 156 સીટ પર જીત અપાવીને ઈતિહાસ રચનારા પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે જૂનાગઢ જીલ્લાની સીટ પર કમળ ખિલાવવામાટે ખુદ કમાન સાચવી લીધી છે.   અગાઉના ચૂંટણીમાં આ સીટ આમ આદમી પાર્ટી એ જીતી હતી. વિસાવદરની ચૂંટણીમાં ઉતરતા પહેલા સૂરતમાં ત્યાના વોટરોના મિલન સમારંભમાં સીઆર પાર્ટિલે કહ્યુ એવુ કહીને રોમાંચ વધારી દીધો છે કે 2012, 2017, 2022 મા તમે ભૂલ કરી હતી. હવે આ ભૂલ ઠીક કરવાની છે. વિસાવદરના વિકાસ માટે બીજેપીનુ જીતવુ જરૂરી છે.  વિસાવદર પૂર્વમાં બીજેપીના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનુ ચૂંટણી ક્ષેત્ર રહ્યુ છે.  બીજેપી આ સીટ પર છેલ્લા 18 વર્ષથી જીતી નથી.   
 
કેજરીવાલ દ્વારા બોલ્યો હુમલો   
સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમણે વિસાવદરના ભેંસાણમાં એક રેલીમાં ભાજપને જીત અપાવવા અપીલ કરી હતી. પાટીલે કેજરીવાલનું નામ લીધા વિના પ્રહાર કર્યા હતા. પાટીલે કહ્યું હતું કે દિલ્હીના લોકોએ કેજરીવાલને પણ હરાવ્યા છે. 2022માં તેઓ વિસાવદર બેઠક પરથી સાત હજાર મતોથી હારી ગયા હતા. ભૂપત ભાયાણી વિસાવદરના વિકાસ માટે ભાજપમાં જોડાયા છે. પાટીલે AAP પર વધુ ઉગ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી ત્યારે ગુજરાત AAPનો એક પણ નેતા આવ્યો ન હતો. દિલ્હીથી હારેલા નેતાઓ ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા. પાટીલે કહ્યું હતું કે, આ વખતે કોઈ ખોટી વાતોમાં ન પડો, કોઈ લાલચમાં ન પડો, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જીત અપાવવાનો સંકલ્પ લો. વિસાવદરમાં ભાજપનો વિજય નિશ્ચિત છે.
 
19 જૂને મતદાન થશે
19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી બેઠક પર મતદાન થશે. કડી બેઠક ભાજપે ગઈ વખતે જીતી હતી. AAPએ અહીંથી પોતાનો સૌથી મોટો ચહેરો ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યો છે. આવી સ્થિતિમાં, આ બેઠક જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે. ભાજપે અહીંથી કિરીટ પટેલને તક આપી છે. હવે જોવાનું એ રહે છે કે કિરીટ પટેલ કમળ ખીલાવી શકશે કે નહીં? નીતિન રાણપરિયા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. AAPમાંથી જીતેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હોવાથી આ બેઠક પર ચૂંટણી થઈ રહી છે.

કાંટાની ટક્કરની અપેક્ષા 
રાજકીય વિશ્લેષકો કહે છે કે સામાન્ય રીતે પેટાચૂંટણીઓમાં શાસક પક્ષને થોડી સરસાઈ મળે છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારીને ભાજપની મુશ્કેલીઓ વધારી છે. વિશ્લેષકો કહે છે કે આ બેઠક પર અપસેટ થવાની શક્યતા છે. જ્યારે અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાથે ગોપાલ ઇટાલિયાનું નામાંકન દાખલ કરવા આવ્યા હતા, ત્યારે તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો તેઓ ગોપાલ ઇટાલિયાને ખરીદવાનો પ્રયાસ કરશે તો હું રાજકારણ છોડી દઈશ. કેજરીવાલે ઇટાલિયાને સૌથી મોટો હીરો ગણાવ્યો હતો. સીઆર પાટિલની જેમ, ગોપાલ ઇટાલિયા પણ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરી ચૂક્યા છે.