સંબંધિત સમાચાર
- Coronavirus Updates: 24 કલાકમાં દેશમાં કોરોનાના 28701 નવા કેસો, 500 મૃત્યુ
- કોરોનાના વધતા કહેર, આ સ્થાનો પર ફરીથી લૉકડાઉન
- બચ્ચન પરિવાર પછી અનુપમ ખેરના ઘરે કોરોના વાયરસ પહોંચ્યો- અભિનેતાની માતા હોસ્પિટલમાં દાખલ
- 24 કલાકમાં મહત્તમ 28637 નવા કેસ નોંધાયા, 551 લોકોની મોત થઈ
- અમેરિકામાં કોરોનાને કારણે 1.34 લાખ મોત, ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર માસ્ક પહેરીને
અમદાવાદ સિવિલના 12 તબીબ સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવશે
સુરત માં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે કોરોનાથી લોકોને બચાવનારા તબીબો પોતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના 12 તબીબો સુરતમાં ફરજ બજાવશે. મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના 12 તબીબ સુરતની કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલના કેટલાક તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદમાં જ કોરોનાનો પ્રકોપ વધુ જોવા મળતો હતો પરંતુ હવે સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના કેસ 41,906 થયા છે. જેમાં સુરતમાં કોરોનાના કુલ કેસ 7828 થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 220 લોકોના મૃત્યુ થયા છે.
