અંકલેશ્વરમાં ઓટો અને બાઈક વચ્ચે ટક્કર પછી લાગી આગ, 1 મહિલા જીવતી સળગી અન્ય 4 ગંભીર ઘાયલ
Bike-rickshaw accident
અંકલેશ્વરથી વહેલી સવારે એક દુખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ પાસે આજે શુક્રવારે એક દર્દનાક દુર્ઘટનામાં એક મહિનાનું કરૂણ મોત થયું છે. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
ભરૂચ : અંકલેશ્વર વાલિયા રોડ પર બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ બન્ને વાહનોમાં આગ ફાટી નીકળી
— AIR News Gujarat (@airnews_abad) December 12, 2025
એક મહિલાનુું મૃત્યુ, અન્ય 4 લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી#bharuch #gujarat #Accident #Fire #fireaccident #AIRVideo : સૈયદ વાહિદ મશ્હદી pic.twitter.com/jPjhZTze0m
સૂત્રો મુજબ અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ બંને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. આ તરફ એક કરુણ અને દુખદ ઘટના તો એ બની કે રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો અને તે રિક્ષામાં જ જીવતી ભૂંજાઈ જતાં મોત થયું છે. આ તરફ આ ઘટનામાં ચારેક લોકો પણ આગને ઝપેટમાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા સારવાર અર્થે ખસેડાયા હતા.
