1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. President ramnath ovind Ayodhya Visit :

UP- રાષ્ટ્રપતિએ રામાયણ કોન્કલેવનું કર્યું ઉદ્ઘાટન, રામજન્મભૂમિમાં કર્યા રામલલાના દર્શન

President ramnath ovind Ayodhya Visit
President Ayodhya Visit : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ રવિવારે અયોધ્યા પ્રવાસ કર્યુ અને એક રામાયણ સંગોષ્ઠીનો શુભારંભ કર્યુ. આ અવસરે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સીએમ યોગી અને તેમની ટીમના વખાણ કર્યા અને કહ્યું, "ઉત્તર પ્રદેશ સરકારે રામાયણ શરૂ કરી છે.
 
કોન્ક્લેવનું આયોજન કરીને કલા અને સંસ્કૃતિ દ્વારા રામાયણને લોકો સુધી લઈ જવા માટે આજે શરૂ કરવામાં આવેલા અભિયાન માટે હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની ટીમનો આભાર માનું છું. હું તેની પ્રશંસા કરું છું." 
 
અયોધ્યાના સંદર્ભમાં ભગવાન રામની મહત્વ પર ભાર મૂકતા રાષ્ટ્રપતિએ કહ્યું, "રામ વગરની અયોધ્યા, અયોધ્યા નથી. જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. "આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા અને કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના વિક્રમ જરદોશ પણ હાજર હતા. આ કાર્યક્રમમાં પ્રખ્યાત લોકગાયિકા માલિની અવસ્થીએ પોતાની મધુર શૈલીમાં ગીતો રજૂ કર્યા હતા અને
 
સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
 
આ પછી રાષ્ટ્રપતિ રામ મંદિર પહોંચ્યા અને રામ લલ્લાના દર્શન કર્યા. તેમણે રામ મંદિર સંકુલમાં વૃક્ષોનું વાવેતર પણ કર્યું હતું.
આગળનો લેખ
ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો- DGCAએ જાણકારી આપી