webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Indian Newspaper Day

29 જાન્યુઆરી-ભારતીય ન્યૂઝપેપર દિવસ

Indian Newspaper Day
- ભારતીય ન્યૂઝપેપર દિવસનુ ઈતિહાસ 
- સન્માન માટે અલગ રાખવામાં આવેલ દિવસ

Indian Newspaper Day- ભારતમાં અખબારોની શરૂઆતના સન્માન માટે અલગ રાખવામાં આવેલ દિવસને ભારતીય ન્યૂઝપેપર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનો હેતુ ભારતીય અખબારો વિશે જાગૃતિ વધારવાનો છે. આજે ભારતીય અખબાર દિવસ છે, જે દર વર્ષે 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
 

ભારતીય ન્યૂઝપેપર દિવસનુ ઈતિહાસ 

આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે કારણ કે તે દિવસ છે જ્યારે ભારતમાં પ્રથમ અખબાર પ્રકાશિત થયું હતું. તમને જણાવી દઈએ કે 29 જાન્યુઆરી, 1780 ના રોજ બ્રિટિશ રાજ હેઠળ જેમ્સ ઓગસ્ટસ હિકી દ્વારા 'ધ બંગાળ ગેઝેટ' નામનું અખબાર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ અખબારને 'કલકત્તા જનરલ એડવર્ટાઈઝર' અને 'હિકીઝ ગેઝેટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ભારતમાં અખબારોની શરૂઆતનું સન્માન કરવાનો અને અખબારો વિશે જાગૃતિ વધારવાનો છે.