સંબંધિત સમાચાર
- પત્નીના અવૈધ સંબંધો હતા... જ્યારે પતિએ વિરોધ કર્યો ત્યારે તેણે તેની હત્યા કરી અને પછી તેનું માથું શરીરથી અલગ કરીને ફેંકી દીધું; બિહારમાં એક ભયાનક ઘટના
- ડૉક્ટર દર્દીની સારવાર માટે ઘરે આવ્યા, કિશોરને જોતાં જ તેનું મન લલચાઈ ગયું, પછી શું થયું.
- ટ્રેનમાં વાતચીત દરમિયાન પ્રેમ...પછી દિવસભર રખડ્યા, રાત્રે નિર્જન જગ્યાએ લઈ જઈ મિત્રો સાથે મળીને કર્યો ગેંગરેપ
- Dancer ની માંગમાં સિંદૂર ભરી માની પત્ની, સસરાએ બરબાદ કરી જીંદગી, પુત્રવધૂએ ના પાડી
- 10મા ધોરણનો વિદ્યાર્થી છોકરીના ગેટઅપમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવતો હતો... માતાએ ઠપકો આપતા સુસાઈડ કર્યુ
ગંગા નદીમાં બાળકોને તરતા શીખવાડી રહ્યા હતા પિતા, એક-એક કરીને ત્રણેય ડૂબી ગયા, જાણો કેવી રીતે થઈ દુર્ઘટના
રાજા પોતાના બંને પુત્રો અંબર અને યુવરાજ સાથે સ્નાન કરવા ગંગા નદીમા ગયા હતા. તે પોતાના બાળકોને ટ્યુબની મદદથી તરતા શિખવાડી રહ્યા હતા. ત્યારે ટ્યુબ ગંગા નદીમાં વહી જવાથી બાળકો ડૂબવા લાગ્યા. તેમને બચાવવામાં ત્રણેય ડૂબ્યા.
બિહારમાં પિતા અને તેમના બે પુત્રો એક બીજાને બચાવવામાં ડૂબી ગયા. ઘટના બાઢના ચાંદી ઘોબિયા ગંગાઘાટની છે. ડૂબવાથી પિતા અને બે માસુમ પુત્રોનુ મોત થઈ ગયુ. ઘટના રવિવારે બની. મૃતકોમા ચાંદી નિવાસી રાજાબાબૂ પાંડેય (38) અને તેમના બે પુત્ર યુવરાજ (8) અને અંબર (5) સામેલ છે. ઘટના પછી પરિવારમાં કોહરામ મચી ગયો. પોલીસે બધી ડેડબોડી કબજે કરીને પોસ્ટમોર્ટમ કરાવ્યુ અને જરૂરી કાર્યવાહી કરી.
એનટીપીસી ધર્મલ પરિયોજનામાં કાર્ય કરતા રાજાબાબૂ પાંડેય ચાંદી ઘોબિયા ઘાટના બગલમાં પોતાના નવનિર્મિત મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. રોજની જેમ તેઓ પોતાના પુત્રો સાથે ગંગાઘાટ પર સ્નાન કરવા ગયા હતા. જો કે તેમણે સ્થાન બદલી નાખ્યુ હતુ. ગંગામા ન્હાવા દરમિયાન યુવરાજ ડૂબવા લાગ્યો તેને બચાવવાના ચક્કરમાં તેઓ નાના પુત્ર અંબરને છોડીને રાજાબાબૂ તેની તરફ વધ્યા. આ દરમિયાન રાજાબાબૂ ઊંડા પાણીમા વહી ગયા અને એક એક કરીને ત્રણેય ડૂબવા લાગ્યા. આસપાસના લોકોએ ત્રણેયને ડૂબતા જોયા તો બૂમો પાડવા લાગ્યા.
ત્યારબાદ સ્થાનીક ગોતાખોરોએ યુવરાજને કાઢીને બાઢ અનુમંડલ હોસ્પિટલમાં લઈ ગયા. જ્યા સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ. ત્યારબાદ ગોતાખોરોએ અનેક કલાકોની મહેનત પછી ગંગા નદીમાંથી રાજાબબઊ અને અંબરની બોડી બહાર કાઢી. પોલીસે બોડીનુ પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોપી દીધુ.
ટ્યુબની મદદથી બંને પુત્રોને તરતા શિખવાડી રહ્યા હતા રાજાબાબૂ
રવિવારે રાબેતા મુજબ રાજા પોતાના બે પુત્રો અંબર અને યુવરાજ સાથે ગંગા નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે તે તેના બે બાળકોને ટ્યુબની મદદથી તરવાનું શીખવી રહ્યો હતો. પછી ગંગા નદીમાં ટ્યુબ ધોવાઈ જતાં બંને બાળકો ડૂબવા લાગ્યા. બંનેને બચાવવા જતા પીતા પણ ડૂબી ગયા અને એક એક કરીને ત્રણેય ડૂબી ગયા.
