webdunia

Notifications

webdunia
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. bahraich violence

બહરાઇચ હિંસા- શહેર બાદ હવે ગામડાઓમાં હાલાકી, ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ

Bahraich Violence
બહરાઈચના મહારાજગંજ વિસ્તારનું આકાશ ધુમાડાથી ઢંકાયેલું છે. રવિવાર રાતથી સમગ્ર વિસ્તારમાં આગ લાગી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે. હજુ પણ ઘણા ઘરોની બહાર વાહનો સળગી રહ્યા છે.
 
રવિવારે બહરાઇચે મહસી વિસ્તારમાં દુર્ગાપૂજા દરમિયાન મૂર્તિના વિસર્જન દરમિયાન બે જૂથો આમને-સામને આવી ગયાં.
 
રિપોર્ટો અનુસાર વિસર્જનયાત્રામાં સામેલ ભીડ ધાર્મિકસ્થળની પાસે ડીજે વગાડી રહી હતી. ત્યાં જ વિવાદ શરૂ થયો અને હિંસા તથા આગજની થઈ. આ હિંસામાં ગોપાલ મિશ્રનું મૃત્યુ થયું.
 
સોમવારે સવારે ગોપાલ મિશ્રાના અંતિમસંસ્કારમાં સામેલ ભીડ બેકાબૂ થઈ અને ઘણી જગ્યાએ દુકાનો અને મકાનોને આગ લગાડી.
 
બહરાઈચમાં વધી રહેલા હંગામાને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ADG કાયદો અને વ્યવસ્થા અને STF ચીફ અમિતાભ યશને ઘટના સ્થળે જવાનો આદેશ આપ્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ મામલે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. આ પહેલા રવિવારે સીએમ યોગીએ કહ્યું હતું કે તોફાનીઓને બક્ષવામાં આવશે નહીં.
 
હિંસા વચ્ચે બહરાઈચના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. મહસી, મહારાજગંજ વગેરે વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી લોકોને સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરવામાં ન આવે.
 
ये भी पढ़ें
યુપીના નાગાલેંડની છોકરી થઈ ડિજીટલ અરેસ્ટ, નકલી પોલીસવાળાએ તેના બધા કપડા ઉતરાવ્યા અને પછી આ માંગ કરી