સંબંધિત સમાચાર
- રામમંદિરમાં લાગશે અમદાવાદમાં તૈયાર થયેલા ધ્વજદંડ, 44 ફૂટનો મુખ્ય ધ્વજદંડ શિખર પર લાગશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, મંદિરનું નિરિક્ષણ કરશે
- Ayodhya Ram temple- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર
- ‘જે અયોધ્યાના રામ મંદિરમાં જશે મુસલમાન બનીને બહાર નીકળશે', જાવેદ મિયાંદાદની જૂની નફરત વાયરલ
- Ayodhya Diwali- 51 ઘાટો પર 24 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, આ દિવાળીએ અયોધ્યાનું લક્ષ્ય 'વર્લ્ડ રેકોર્ડ' બનાવવાનું છે
Ayodhya Airport: ફ્લાઈટ્સ માટે અયોધ્યા એરપોર્ટ તૈયાર, આ તારીખથી દરરોજ દોડશે ફ્લાઈટ્સ, જાણો સંપૂર્ણ માહિતી
Ayodhya Airport
Ayodhya Airport - અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની સાથે સાથે અન્ય વિકાસ કાર્યો પણ તેજ ગતિએ ચાલી રહ્યા છે. હવે ટૂંક સમયમાં અયોધ્યાથી હવાઈ સેવા શરૂ થવા જઈ રહી છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Ayodhya Airport) તૈયાર છે અને દિલ્હીથી પ્રથમ ફ્લાઈટ 30 ડિસેમ્બરે આ એરપોર્ટ પર ઉતરશે. એરલાઈન્સ કંપની ઈન્ડિગો (Indigo)પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે.
Ayodhya Airport !!
— Rupen Chowdhury (@rupen_chowdhury) December 15, 2023
Jai Shri Ram pic.twitter.com/DAD4KvLN2w
માનવામાં આવે છે કે પીએમ નરેન્દ્ર મોદી(PM Modi) 25 ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરી શકે છે. તે જ સમયે, પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ સહિત લગભગ 18 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. જિલ્લા વહીવટીતંત્ર, રેલવે વિભાગ અને AAI ઉદ્ઘાટન કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે.
ઈન્ડિગો અયોધ્યા માટે તેની પ્રથમ ફ્લાઈટ શરૂ કરશે
તમને જણાવી દઈએ કે ઈન્ડિગો એરલાઈન્સ 30 ડિસેમ્બર, 2023ના રોજ દિલ્હીથી અયોધ્યા એરપોર્ટ સુધીની શરૂઆતની ફ્લાઈટનું સંચાલન કરશે. જોકે, કંપનીની બિઝનેસ સર્વિસ 6 જાન્યુઆરીથી શરૂ થશે. અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે.
