Jivantika Prasad Recipe- જીવંતિકા માતાજી માટે પ્રસાદની ખાસ રેસીપી
જીવંતિકા માતાજી માટે પ્રસાદની
સામગ્રી
ઘઉંનો લોટ – 1 કપ
ગોળ – ¾ કપ
ઘી – 3-4 ચમચી
એલચી પાવડર – ½ ચમચી
દૂધ – જરૂર મુજબ
નાળિયેરનું છીણ – 2 ચમચી
ડ્રાયફ્રૂટ્સ – 2 ચમચી
કેળું અથવા અન્ય મોસમી ફળ
પાણી – જરૂર મુજબ
પ્રસાદ બનાવવાની રીત
સૌપ્રથમ ઘઉંના લોટમાં થોડું ઘી ઉમેરીને લોટ બાંધો.
લોટની નાની-નાની લૂઈ બનાવીને વણી લો અને ઘીમાં શેકી લો.
એક વાસણમાં ગોળ અને થોડું પાણી ગરમ કરીને ગોળ ઓગાળી લો.
ALSO READ: શ્રાવણ માટે ઉપવાસમાં બટાકાના વડા
તેમાં શેકેલો લોટ, નાળિયેરનું છીણ, એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
તૈયાર પ્રસાદને થાળીમાં મૂકી તેની સાથે ફળ ધરાવો.
જીવંતિકા માતાજીની પૂજા કર્યા બાદ પ્રસાદનો ભોગ ધરાવો.