સોમવાર, 16 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (00:08 IST)

આ લીલું પાન પાઈલ્સના રોગને જડમાંથી કરશે દૂર, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

Is betel leaf good for piles
Is betel leaf good for piles
ખાન-પાનની ખરાબ આદતોને કારણે પાઈલ્સની સમસ્યા ઝડપથી વધવા લાગી છે. પાઈલ્સમાં, ગુદામાર્ગના નીચેના ભાગમાં સોજો આવે છે. જેના કારણે મળ પસાર કરવામાં મુશ્કેલી પડે છે. ઘણી વખત લોકો ગંભીર પીડા અને ખંજવાળથી પરેશાન થઈ જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પાઇલ્સની સમસ્યા ગંભીર બની શકે છે. પાઈલ્સને જડમૂળથી દૂર કરવા માટે તમે ઘણા ઘરેલું નુસખા અને ઉપાયો પણ અપનાવી શકો છો. આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓ છે જેના ઉપયોગથી પાઈલ્સ ની સમસ્યા દૂર થઈ શકે છે. પાયલ્સમાં નાગરવેલના પાનને અસરકારક માનવામાં આવે છે. આનાથી પાઈલ્સનો અસરકારક ઈલાજ કરી શકાય છે. જાણો પાઇલ્સ માં નાગરવેલના પાન નો ઉપયોગ કેવી રીતે કરવો?
 
નાગરવેલના પાન પાઈલ્સ માં છે લાભકારી 
આયુર્વેદમાં નાગરવેલના પાનને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. નાગરવેલના પાનનો ઉપયોગ અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે.  નાગરવેલના પાનની તાસીર ગરમ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. આ સ્ટૂલ પસાર કરવાનું સરળ બનાવે છે. નાગરવેલના પાન પાઈલ્સમાં સોજો ઓછો કરે છે અને પેટને ઠંડુ રાખે છે. તેનાથી કબજિયાતની સમસ્યામાંથી તરત જ રાહત મળે છે.
 
પાઈલ્સમાં કેવી રીતે કરવો સોપારીનો ઉપયોગ ?
નાગરવેલના  પાનનું પાણી- તમે પાઈલ્સને દૂર કરવા માટે નાગરવેલના પાનના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક કઢાઈમાં 1 ગ્લાસ પાણી નાંખો અને તેમાં 3-4 નાગરવેલના પાન નાખો. પાણીને ઉકળવા દો અને જ્યારે તે અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો અને થોડું ઠંડું થાય પછી પી લો. આનાથી પાઈલ્સનાં લક્ષણો ઓછાં થશે અને સમસ્યા તેના જળમાંથી ખતમ થઈ જશે. 
 
પાનની પેસ્ટ લગાવો - પાઈલ્સનાં દર્દીઓ પણ સોજાવાળી જગ્યા પર  પાન લગાવી શકે છે. આ માટે નાગરવેલના પાન વાટીને  તેની પેસ્ટ બનાવી લો.  હવે આ પેસ્ટ પાઈલ્સ પર  લગાવો અને તેને છોડી દો. તમે આ પેસ્ટને દિવસમાં 1-2 વખત લગાવી શકો છો. આનાથી તમારી સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ થશે.