ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 1 સપ્ટેમ્બર 2024 (08:40 IST)

લોખંડની કઢાઈમાં રાંધશો આ શાક તો બની જશે ઝેર, તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન

Myths About Iron Utensils
ઘણી એવી શાકભાજી છે જે લોખંડના તપેલામાં રાંધવાથી ઝેરી બની જાય છે અને તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
 
આપણા ઘરના વડીલો ઘણીવાર લોખંડના વાસણોનો ઉપયોગ કરવાની સલાહ આપે છે અને આયુર્વેદ પણ એ વાત સાથે સહમત છે કે લોખંડના વાસણમાં ખોરાક રાંધવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. ઉલ્લેખનિય છે કે લોખંડના વાસણમાં ખોરાક રાંધવાથી શરીરને આયર્ન મળે છે, પરંતુ શું તમે જાણો છો કે લોખંડના વાસણોમાં પકવેલી આ શાકભાજી તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. જો તમારા ઘરમાં લોખંડની કઢાઈમાં શાકભાજી રાંધવામાં આવે તો પણ આ વસ્તુઓની  શાકભાજી ભૂલથી પણ ન રાંધશો 
 
ભૂલથી પણ લોખંડની કઢાઈમાં ન રાંધો આ વસ્તુઓ 
પાલકનું શાકઃ પાલકનું શાક કે કઠોળ લોખંડની કઢાઈમાં ન રાંધવી જોઈએ. ઘણા લોકો જાણતા નથી કે પાલકમાં ઓક્સાલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને જ્યારે તેને લોખંડની કઢાઈમાં રાંધવામાં આવે છે, ત્યારે તેનો રંગ ફિક્કો પડી જાય છે અને તેનો રંગ કાળો થઈ જાય છે. ઓક્સાલિક એસિડ સાથે આયર્નની પ્રતિક્રિયાને કારણે આવું થાય છે. જેના કારણે પાલકનો રંગ તો બગડે જ છે પરંતુ શાક પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ જાય છે.
 
બીટરૂટ: બીટરૂટમાંથી બનેલી કોઈપણ વાનગી અથવા શાકભાજીને લોખંડની કડાઈમાં રાંધવી જોઈએ નહીં. બીટરૂટમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે અને તે તપેલીમાં રહેલા આયર્ન સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જેના કારણે ખોરાક તેનો કુદરતી રંગ ગુમાવે છે. તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
 
લીંબુ-ટામેટાંનો ઉપયોગઃ જો તમે શાક બનાવતા હોય  અને તેમાં લીંબુનો રસ વાપરવો હોય તો તે શાકને લોખંડની કડાઈમાં ન પકાવો. લીંબુ એસિડિક ગુણોથી ભરપૂર છે જે આયર્ન સાથે પ્રતિક્રિયા કરી શકે છે. જેના કારણે પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે. સાઇટ્રિક એસિડથી ભરપૂર ટામેટાંને લોખંડની કઢાઈમાં રાંધવા જોઈએ નહીં. આ ખોરાકના સ્વાદ અને રચનામાં ફેરફાર કરે છે.
 
મીઠી વાનગીઓ: લોખંડની કઢાઈમાં ગળી વાનગીઓ રાંધવાથી તેનો સ્વાદ સંપૂર્ણપણે બગડે છે. લોખંડની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલ અથવા ઓવનમાં કોઈપણ પ્રકારની મીઠી વસ્તુઓ બનાવો.