શનિવાર, 21 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000240112{main}( ).../bootstrap.php:0
20.13206090048Zend_Application->run( ).../bootstrap.php:62
30.13206090184Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.13206091240Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.14736402024Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.15186734368Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.15196750144Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.06077264728partial ( ).../ManagerController.php:848
91.06077265168Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.06107270032call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.06107270776Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.06137284968Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.06137301984Zend_View->_run( ).../Abstract.php:888
141.06137303912include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2021
Written By
Last Updated : શનિવાર, 23 જાન્યુઆરી 2021 (20:02 IST)

PM kisan - શુ બજેટ પછી સન્માન નિધિ 9000 રૂપિયા થઈ જશે ?

ખેડૂત આંદોલન વચ્ચે દેશભરના અન્નદાતાઓની બજેટ 2021-22 એક આશા બંધાય રહી છે. ખેડૂતોને લાગે છે કે આ વખતે મોદી સરકાર પીએમ ખેડૂત સન્માન નિધિની રાશિ વધારશે.  તેમને આશા છે કે આગામી સમયમાં દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તા  3000 રૂપિયા થઈ જશે. એટલે કે, વાર્ષિક રકમ 6000 રૂપિયા 9000 હશે. ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોને આપે છે. અત્યાર સુધીમાં 11 કરોડ 50 લાખ ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
 
શું મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટમાં તેની રકમ વધારશે? આ પ્રશ્ન કરોડો ખેડૂતોના મનમાં છે. કુશીનગરના મથુલી માર્કેટમાં પોતાના ખેતરમાં ખાતર છાંટી રહેલા ખેડૂત રાધેશ્યામ કહે છે કે, દર ચાર મહિને તેને મળતી 2000 ની રકમથી ઘણી રાહત મળે છે, પરંતુ તે હાલ પુરતી નથી. આ વખતે બજેટમાં તે 3000 રૂપિયા થઈ શકે છે. બીજી તરફ, બીજા એક ખેડૂત વીરેન્દ્ર પાલ કહે છે કે હવે પહેલા કરતા ખાતર, બિયારણ અને સિંચાઈમાં વધુ પૈસાનુ રોકાણ કરવુ પડે છે.  જો મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માગે છે, તો તેઓએ પીએમ કિસાન સન્માન નિધિને પણ આદરણીય બનાવવી પડશે. પાલને પણ આશા છે કે સરકાર ચોક્કસ ખેડૂતની માત્રામાં વધારો કરશે
 
સાથે જ નિષ્ણાતો એમ પણ કહે છે કે સરકારે કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે આગામી બજેટમાં દેશી કૃષિ સંશોધન, તેલીબિયારણ ઉત્પાદન, ખાદ્યપદાર્થો અને જૈવિક ખેતી માટે વધારાના ભંડોળ અને પ્રોત્સાહન આપવું જોઈએ. ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સીધી કેશ ટ્રાન્સફર (ડીબીટી) યોજનાનો ઉપયોગ ખેડૂતોને સબસિડી આપવાને બદલે વધુ ટેકો આપવા માટે થવો જોઈએ.
 
ડીસીએમ શ્રીરામના અધ્યક્ષ અને વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર અજય શ્રીરામે જણાવ્યું હતું કે, પીએમ-કિસાન યોજનામાં ડીબીટી મિકેનિઝમ યોગ્ય રીતે તૈયાર હોવી જોઈએ અને સમયસર સબસિડી આપવાના બદલામાં ખેડૂતોને વધુ ટેકો આપવા માટે ઉપયોગમાં લેવી જોઈએ. શ્રીરામે કહ્યું કે, ખેડૂતોએ નિર્ણય લેવો પડશે કે તેઓ આ નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવા માગે છે.
 
ડીબીટીના લાભ સાથે ખેડૂત બીજ ખરીદી શકે છે, નવી તકનીકનો ઉપયોગ કરી શકે છે, પાણીનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે અને આવા જ બીજા કામ કરઈ શકીએ છીએ. . ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગે ખેડૂતને સારા ભાવ મેળવવા અને વચેટિયાઓની  ભૂમિકા  ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બજેટમાં ફૂડ પ્રોસેસિંગ માટે  વ્યાજ પ્રોત્સાહનો, ટેક્સમાં ઘટાડો, તકનીકનો ઉપયોગ અને વિશેષ પ્રોત્સાહન આપવું જોઈએ.