webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
  4. Aam Aadmi party Gujarat

જાણો આમ આદમી પાર્ટીના કયા નેતાએ ભાજપના નેતા વિરૂદ્ધ કરી ફરિયાદ

જાણો આમ આદમી પાર્ટીના કયા
ભારતીય જનતા પાર્ટીના રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠકના ઉમેદવાર અરવિંદ ગોરધનભાઇ રૈયાણી અને તેમના પરિવારના સભ્યો બે અલગ અલગ બેઠક પર મતદાર તરીકે રજીસ્ટર્ડ છે. આ અંગે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીત લોખિલે લેખિત ફરિયાદ ઇલેક્શન કમિશનને કરી છે. અરવિંદ રૈયાણી વાંકાનેર અને રાજકોટ પૂર્વ બેઠક એમ બે અલગ અલગ વિધાનસભા બેઠકો ઉપર મતદાર તરીકે રજીસ્ટર્ડ છે.

આથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીત લોખિલે ઇલેક્શન કમિશનને લેખિત રજૂઆત કરી છે. તેણે જણાવ્યું છે કે, પ્રતિનિધી ધારા હેઠળ આ ગુનાહિત પ્રવૃત્તિ છે. તેમનું ઉમેદવારી પત્રક રદ થાય અને અન્ય કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવે.
ये भी पढ़ें
બાળકો માટે અદભૂત ખજાનો, youtube પર Red Riben કિડ્સ ચેનલને જબરદસ્ત પ્રતિસાદ