1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. Ketan agarwal Murder Case Siya goyal father reaction

Ketan Murder Case: 'જો મારી પુત્રીએ કેતનને માર્યો છે તો તેને પણ એ જ કિલ્લા પરથી ફેંકી દો, સિયા ગોયલના પિતાનુ નિવેદન

siya agrawal father
siya agrawal father
મહારાષ્ટ્રના પુણેમાં ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા છે. હત્યાના મુખ્ય આરોપી, તેની મંગેતર સિયા ગોયલ અને તેનો પ્રેમી ચૌધરી પોલીસ કસ્ટડીમાં છે. દરમિયાન, સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. અમને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે, પરંતુ હું તેમના કરતા કેતનને વધુ પ્રેમ કરતો હતો. હું તેના પ્રત્યે એટલો લગાવી ગયો કે હું તેને મારો પોતાનો દીકરો માનતો હતો. આજે આટલા સારા છોકરાના ગુમાવવાથી અમને ખૂબ જ દુઃખ થયું છે."
 
તેમણે આગળ કહ્યું, "આ ઘટનાનું દુઃખ એ છે કે જેણે પણ આ કર્યું છે તેને સૌથી કડક સજા મળવી જોઈએ. અને જેમ આપણો કેતન કિલ્લા પરથી પડી ગયો, તેવી જ રીતે આ હત્યામાં જે પણ દોષિત સાબિત થાય છે, ભલે તે મારી પોતાની પુત્રી હોય, તેને પણ ત્યાંથી ધકેલી દેવી જોઈએ."
 

"આનાથી વધુ દુ:ખદ ઘટના કોઈ હોઈ શકે નહીં."

 
પ્રવીણે આગળ કહ્યું, "એક પિતા તરીકે, હું કહીશ કે અગ્રવાલ પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે. આનાથી વધુ દુ:ખદ ઘટના કોઈ હોઈ શકે નહીં." તેમણે આગળ કહ્યું, "અમને તેમના લગ્ન માટે ઘણી આશાઓ હતી. જ્યારથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, ત્યારથી સિયા હંમેશા ખુશ રહેતી હતી. તેણીએ કહ્યું, 'કેતન ખૂબ જ સારો છે. મને આટલા સરસ સાસુ-સસરા અને નણંદ મળ્યા છે. હું ખૂબ જ ખુશ છું.'" કેતનના પિતા દ્વારા સિયાના માતા-પિતાએ વાતો  છુપાવવાના આરોપો અંગે, તેમણે કહ્યું, "જો તેમને કોઈ શંકા હતી કે જાણ થઈ હતી તો તેમણે અમને કહેવુ હતુ,   કદાચ આજે અમારે આનો સામનો કરવો ન પડત." 
 

સિયાના ચેતન સાથેના અફેર વિશે તેના પિતાએ શું કહ્યું?

 
સિયાના પિતા પ્રવીણ ગોયલે ચેતન સાથેના તેના સંબંધ વિશે કહ્યું, "અમને તેની કોઈ જાણ નહોતી. સિયા એક સરળ 19 વર્ષની છોકરી છે. 19 વર્ષની છોકરી આવું કેવી રીતે કરી શકે? મને ખબર નથી કે ચેતન ક્યાંથી આવ્યો છે, અને મેં ક્યારેય તેનો ચહેરો જોયો નથી કે તેની સાથે વાત કરી નથી. મેં ક્યારેય તેનું નામ પણ સાંભળ્યું નથી."

કેતનના પરિવાર વિશે તેમણે કહ્યું, "તેઓ સારા અને સંસ્કારી લોકો છે. અમે વર્ષોથી સંપર્કમાં છીએ. અમને તેમના જેવા સંબંધી મળી શકે નહી.  આજે અમે એક પુત્ર અને એક સારો પરિવાર ગુમાવ્યો છે." તેમણે વધુમાં કહ્યું કે જો સિયાએ કેતનને તેના અફેર વિશે બતાવ્યુ હતુ તો તેણે તેના પરિવારને અને તેમના દ્વારા અમને પણ કહેવું જોઈતું હતું.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો