webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
  4. Coronavirus Vaccine: India Have An Edge, Says Global Study

કોરોના વૈક્સીન - ભારતે ખરીદી લીધા છે 60 કરોડ ડોઝ, એક અરબ ટીકા વધુ મેળવવાનો પ્રયત્ન

કોરોના વૈક્સીન
ભારતે કોરોના વાયરસ વૈક્સીનના 60 કરોડ ડોઝનો પ્રી-ઓર્ડર આપી રાખ્યો છે. આ ઉપરાંત એક અરબ ડોઝ મેળવવા માટે વાતચીત ચાલી રહી છે. એડવાન્સ માર્કેટ કમિટમેન્ટના ગ્લોબલ એનાલીસીસમાં આ વાત સામે આવી છે. આ મામલે, ફક્ત અમેરિકા જ તેની આગળ છે જેમણે 81 કરોડ ડોઝનો પ્રી-ઓર્ડર આપ્યો છે. વધુમાં, તે વધુ 1.6 અબજ ડોઝ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનાલીસીસ મુજબ, ઘણા ઉચ્ચ અને મધ્યમ આવકવાળા દેશોએ 8 ઓક્ટોબર સુધી   લગભગ 3.8 અબજ ડોઝનુ બુકિંગ કરી લીધુ હતુ. આ સિવાય બીજા પાંચ અબજ ડોઝ માટે સોદાબાજી ચાલુ છે. ભારતની પાસે એડવાંટેજ એ પણ  છે કે તે વેક્સીન બનાવવાની બાબતમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને આ ક્ષમતાથી ચોક્કસપણે તેનો ફાયદો થશે.
 
કયા દેશે કેટલા ડોઝનો આપ્યો છે ઓર્ડર ?
 
 અમેરિકાના ડ્યુક ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટરના જણાવ્યા મુજબ, 8 ઓક્ટોબર સુધીમાં કોરોના વેક્સીનની બુકિંગ સ્ટેટસ નીચે મુજબ છે:
 
- અમેરિકા - 81 કરોડ ડોઝ કન્ફર્મ અને વધુ 1.6 અબજ ડોઝ માટે વાતચીત ચાલુ.
 
- ભારત: 60 કરોડ ડોઝ કન્ફર્મ, અને 1 અબજ ડોઝ માટે વાતચીત ચાલુ.
 
- યુરોપિયન યુનિયન: 40 કરોડ ડોઝ કન્ફર્મ, અને 1.565 અબજ ડોઝ માટે વાતચીત ચાલુ.
 
ઓછી વસ્તીવાળા આ દેશોએ બુક કરી લીધો વધુ  ડોઝ 
 
વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો કેનેડાએ તેની વસ્તીની જરૂરિયાત કરતાં 5 ગણા વધુ ડોઝ બુક કર્યાં છે. યુનાઇટેડ કિંગડમ દ્વારા વસ્તીના લગભગ અઢી ગણી વધુ ખરીદી માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. યુ.એસ.એ તેની વસ્તીના 230% કવર કરવા માટે પૂરતા પ્રમાણમાં ડોઝ બુક કર્યાં લીધા છે. 
 
વૈક્સીનના મોટાભાગના સૌદા પુરા થવા મુશ્કેલ 
 
રિસર્ચ સેન્ટરના આસિસ્ટેંટ ડાયરેક્ટર આંદ્રિયા ટેલર મુજબ, એ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આમાંથી થોડીક જ વેક્સીનની ખરીદી હકીકતમાં થઈ શકશે. હજી સુધી, આ બધી વેક્સીન એક્સપરિમેંટલ તબક્કે છે અને કોઈને પણ રેગ્યુલેટરી એપ્રૂવલ મળી નથી. આવી સ્થિતિમાં દેશ જે પણ સોદા કરી રહ્યા છે જેમાંથી ઘણા ક્યારેય પૂરા ન પણ થઈ શકે. ઉદાહરણ તરીકે, યુકેએ પાંચ અલગ અલગ  વેક્સીનના સોદા કર્યા છે.
 
જ્યારે બનાવી રહ્યા છે તો પોતાના જ દેશમાં તો વેક્સીન ખરીદવાની જરૂર કેમ ? 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ એક ખાનગી ચેનલ  સાથેની વાતચીતમાં કહ્યું, "કોવિડ -19થી વિશ્વને બચાવવા માટે ભારત એક રસી બનાવી રહ્યું છે, તો પછી તે પોતાના જ નાગરિકોની સુરક્ષા કેમ સુનિશ્ચિત નહીં કરે ? સરકાર તેના નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને વૈક્સીન ઉપલબ્ધ થાય ત્યારે પૂરતા પ્રમાણમાં ડોઝ મળી રહે તેની ચોખવટ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. 
ये भी पढ़ें
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ માં અભિનેતા રંગશાહીનું સામાજિક સંસ્થા મીડિયા એવમ્ પોલીસ પબ્લિક સહયોગી સંગઠન દ્વારા સૂરતમાં સન્માન