સંબંધિત સમાચાર
- The Kashmir Files ના ડાયરેક્ટર Vivek Agnihotri ને મળી Y કૈટેગરીની સિક્યોરિટી
- સાવધાન The Kashmir Files લિંક મોકલીને ખાતુ ખાલી રહ્યા છે ભેજાબાજ
- કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ટીકાકારો રઘવાયા થયા છે'
- ધ કશ્મીર ફાઇલ્સની રિલીઝ સાથે જ ગુજરાતનાં રમખાણોની ચર્ચા શરૂ થઈ ગઈ.
- #The Kashmir Files: કોંગ્રેસના ટ્વીટસ પર વિવેક અગ્નિહોત્રીએ કર્યો આવો રિપ્લાય, સત્ય આવ્યુ સામે
'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે, ફિલ્મ અંગે અભિનેતા આમિર ખાનની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
અનુપમ ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. કાશ્મીરી પંડિતો પર બનેલી આ ફિલ્મનો સર્વત્ર દબદબો છે. કાશ્મીર ફાઈલ્સ એક હ્રદયસ્પર્શી વાર્તા કહે છે. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે. કાશ્મીર ફાઇલ્સ પણ ઘણા વિવાદોમાં ફસાયેલી છે. હવે આ ફિલ્મને લઈને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે.તેમણે ફિલ્મ વિશે ઘણી વાતો કહી છે.
વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં પણ ફિલ્મને લોકોનું સમર્થન મળી રહ્યું છે. તેમાં આમિર ખાન પણ સામેલ છે. આમિર ખાને કહ્યું છે કે દેશને કાશ્મીરી પંડિતોનું દર્દ જાણવું જોઈએ. કાશ્મીરી પંડિતોની હાલત જોઈને દુઃખ થાય છે. આવી જ એક ફિલ્મ જે તે વિષય પર બની છે, તે ચોક્કસપણે દરેક ભારતીયે જોવી જોઈએ અને દરેક ભારતીયે તેને યાદ રાખવી જોઈએ. આમિરે આગળ કહ્યું- હું આ ફિલ્મ ચોક્કસ જોઈશ અને ફિલ્મની સફળતા જોઈને હું ખૂબ જ ખુશ છું.
