Ayodhya Ram mandir: અયોધ્યામાં પ્રગટાવી 108 ફીટ લાંબી અગરબતી 45 દિવસો સુધી ફેલાશે સુગંધ
Publish: Tue, 16 Jan 2024 (15:04 IST)
Updated: Tue, 16 Jan 2024 (15:12 IST)
Ayodhya Ram mandir- દુનિયાની સૌથી મોટી 108 ફીટ લાંબી અગરબત્તી અયોધ્યા ધામમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુષ્ઠાનના શરૂ થતા જ પ્રગટાવી
દુનિયાની સૌથી મોટી 108 ફીટ લાંબી અગરબત્તી અયોધ્યા ધામમાં મંગળવારે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુષ્ઠાનના શરૂ થતા જ પ્રગટાવી. ગુજરાતના વડોદરાથી તેને બનાવનાર રામ ભક્ત વિહા ભરવાડ અને 25 બીજા લોકો લઈને અયોધ્યા પહોંચ્યા છે. અગરબત્તીનું વજન 3610 કિલો છે અને તેની પહોળાઈ 3.5 ફૂટ છે. તેને તૈયાર કરનાર ભરવાડનો દાવો છે કે આ અગરબત્તી પર્યાવરણને અનુકૂળ છે અને લગભગ દોઢ મહિના સુધી અયોધ્યાની આસપાસના કેટલાય કિલોમીટર સુધી સુગંધ ફેલાવવાનું ચાલુ રાખશે.
તેના નિર્માણમાં 376 ગ્રામ ગૂગલ એટલે કે ગુંદર, 376 કિલો નારિયેળના છીપ, 1470 કિલો ગાયનું છાણ, 420 કિલો જડીબુટ્ટીઓ અને 190 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Publish: Tue, 16 Jan 2024 (15:04 IST)
Updated: Tue, 16 Jan 2024 (15:12 IST)