સંબંધિત સમાચાર
- Somvati Amavasya - સોમવતી અમાસના દિવસે કરો આ ઉપાય,પદ પૈસા અને પ્રતિષ્ઠા આપશે આ ચમત્કારી ઉપાય
- Surya grahan 2020: આજે પૂર્ણ સૂર્ય ગ્રહણૢ સોમવતી અમાસને કારણે બનશે વિશેષ સંયોગ, જાણો રાશિઓ પર શુ પડશે અસર ?
- Somvati Amavasya - સોમવતી અમાસના દિવસે કરો આ ઉપાય, ફળ જલ્દી મળશે
- Amas- આજે અમાસના દિવસે ભૂલીને પણ ન કરવું આ 5 કામ
- Hartalika Teej 2021: ક્યારે છે કેવડાત્રીજ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Pithori Amavasya 2021 - સોમવતી અમાસ પર કરી લો આ 7 ઉપાય, બદલાય જશે તમારુ ભાગ્ય
અમાસ એ પિતરોનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘરના પિતૃગણોનુ તર્પણ કરવુ જોઈએ અને ઘરમાં પૂર્ણ શુદ્ધિથી બનાવેલ ભોજનનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે, જેનાથી જીવનના બધા સંકટ દૂર થઈને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.
2. આ દિવસે ભૂખ્યા જીવોને ભોજન કરાવવાનુ પણ મહત્વ છે. જો શક્ય હોય તો ઓછામાં ઓછા એક ભિખારી અથવા ગાયને ભોજન કરાવો અથવા કોઈ નજીકના સરોવરમાં જઈને માછલીઓને ખાંડવાળા લોટની ગોળીઓ ખવડાવો. તેનથી ઘરમાં પૈસાની આવક શરૂ થઈ જાય છે.
3. સોમવતી અમાસના દિવસે નજીકના કોઈ શિવમંદિરમાં જઈને શિવલિંગ પર જળ અને બિલિપત્ર ચઢાવો. ત્યારબાદ ત્યા બેસીને ૐ નમ શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી કાલ સર્પ દોષની અસર ઓછી થાય છે.
4. સોમવતી અમાસના દિવસે ઘરના મંદિર અથવા ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દીવો પ્રગટાવો. તેમા રૂ ના સ્થાન પર લાલ રંગ દોરાનો ઉપયોગ કરો. તેનાથી મા લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે.
5. સોમવતી અમાસ પર દાનનુ અનંત ફળ મળે છે. આ દિવસે યથાસંભવ કોઈ ગરીબની મદદ કરવી જોઈએ અને થોડી રોકડ રકમ દાન કરો. તએનાથી જન્મ કુંડળીના ખરાબ ગ્રહોની અસર સમાપ્ત થશે.
6. અમાસના દિવસે સવારે સ્નાન પછી ચાંદીથી બનેલ નાગ-નાગિનની પૂજા કરો અને સફેદ ફૂલની સાથે વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી તરત જ કાલસર્પયોગનો દોષ દૂર થઈ જાય છે.
7. અમાસની સાંજે પીપળો અથવા વડના ઝાડની પૂજા કરો ને ત્યા દેશી ઘી નો દીવો પ્રગટાવો image