1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
  4. Can name change change luck know what numerologist says according to numerology

શુ નામ બદલવાથી બદલી શકે છે ભાગ્ય ? જાણો શુ કહે છે અંકશાસ્ત્રી

નામ બદલવાથી બદલી શકે છે ભાગ્ય
અંકોનો સંબંધ ઊર્જા સાથે છે અને એ જ રીતના એ પરિણામ આપે છે. તેથી અનેકવાર અંક જયોતિષ લોકોને પોતાના નામના શબ્દ વિન્યાસમાં પરિવરતન કરવાની સલાહ આપીને નવી ઊર્જા જોડવઆનો પ્રયત્ન કરે છે. સૌ પહેલા જાણી લો કે દરેક નામનો એક અંક હોય છે. જે નામના અક્ષરના અંકોને જોડીને અઅવે છે. જેવુ કે રાહુલનો અંક 6 આવે છે, તો અંક 6 શુક્ર ગ્રહનો પ્રતીક કહેવાય છે. 
 
જો કોઈની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય, તો આ નંબર તેના માટે ચોક્કસપણે નસીબદાર છે. પરંતુ એક પરિસ્થિતિ એવી પણ ઊભી થાય છે કે શુક્ર  તે વ્યક્તિની કુંડળીમાં ખરાબ અને કમજોર પરિણામ આપનારો હોય. આવી સ્થિતિમાં, નામનો અંક '6' જીવનમાં શુક્રને લગતી વસ્તુઓની પ્રાપ્તિમાં અવરોધ લાવી શકે છે. કેટલીકવાર આ સ્થિતિ ડાયાબિટીઝ રોગ પણ આપે છે.
 
આ સ્થિતિમાં, સમસ્યાઓ દૂર કરવા માટે, નામની શબ્દરચના બદલીને, તેના અંકોમાં ફેરફાર કરવામાં સફળ થાય છે, અને નવો અંક જે ગ્રહનો પ્રતિક હોય છે  તેના અનુરૂપ ચિન્હ મેળવે છે.આ જ રીતે જો કોઈ અંકના પ્રભાવમાં દેશ, સમાજ કે સંસ્થામાં કોઈ ઘટનાઓ બને ચે તો જ્યોતિષીય જ્ઞાન વરા આપણે તેના પ્રભાવને ઓછો વધુ કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ પણ તેના વાસ્તવિક પ્રકૃતિને બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે, એવું માનવામાં આવે છે કે જ્યારે 4 અને 8 અંક એકસાથે લાવવામાં આવે ત્યારે દુર્ઘટના થાય છે. જેમ કે આ બે મુદ્દાઓ 1984 માં સાથે આવ્યા અને તે વર્ષે ઘણી મોટી ઘટનાઓ બની.
 
અંકશાસ્ત્ર ખરેખર વક્રના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જે સમાન અને સજાતીય ઘટનાને આકર્ષિત કરે છે. આ જ કારણો છે કે સમાન ઘટનાઓ કોઈ ચોક્કસ અંકોના પ્રભાવ હેઠળ થાય છે. જેવુ કે વર્ષ 2001, જેની સંખ્યા 3 છે, જો આ વર્ષ કોઈપણ માટે શુભ છે, તો પછી શક્ય છે કે આ જ નંબર 2019 માં ફરીથી કોઈની માટે ફાયદાકારક રહ્યો હોય. તેથી, જો અંક તમારા જીવનમાં સારા પરિણામ આપી રહ્યાં છે તો પછી તે તમને વારેઘડીએ શુભ પરિણામ જ આપશે. અને જો કોઈ અંક અશુભ પરિણામ આપી રહ્યું છે, તો તે નંબરનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જરૂરી છે. 
આગળનો લેખ
આજનુ રાશિફળ (04/11/2020) - આજે આ 5 રાશિ માટે શુભ યોગ બની રહ્યો છે