Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ જિલ્લામાં 60 વર્ષથી વધુની ઉંમરના 43,916 લોકો હજુ બુસ્ટર ડોઝ લેવા આવ્યા નથી

Updated: સોમવાર, 20 જૂન 2022 (11:28 IST)
અમદાવાદ જિલ્લામાં સરકાર દ્વારા ૬૦ થી વધુની ઉંમરવાળા નાગરીકોને કોરોનાની રસીનો ત્રીજો એટલેકે બુસ્ટર ડોઝ મફતમાં અપાઇ રહ્યો હોવા છતાંય હજુ સુધી ૪૩,૯૧૬ લોકો આ ડોઝ લેવા જ નથી આવ્યા ! બીજી તરફ ૧૮ થી ૫૯ વર્ષના લોકો માટે બુસ્ટર ડોઝ ખાનગી હોસ્પિટલોમાંથી પૈસા ખર્ચીને લેવાનો હોય છે તો તેમાં પણ જિલ્લામાં નોંધાયેલા ૨.૩૦ લાખ લોકોમાંથી ફક્ત ૪,૦૧૩ લોકોએ જ આ ડોઝ લીધો છે. જ્યારે બાકીનાઓએ બુસ્ટર ડોઝ લેવાનું ટાળ્યું છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સફળ રહી છે. ૧૮ થી વધુની ઉંમરવાળા માટેના પ્રથમ ડોઝની કામગીરી ૧૧૫ ટકા અને બીજા ડોઝની કામગીરી ૧૨૫ ટકા થવા પામી છે. પરંતુ બાળ રસીકરણ અને પ્રિકોશન ડોઝના મામલે લોકોએ ઉદાસીનતા સેવી છે.જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરના કુલ  ૬૬,૧૧૫ બાળકોમાંથી ૨૦,૧૭૭ બાળકોએ હજુ સુધી પ્રથમ રસીનો ડોઝ લીધો નથી. જ્યારે ૨૧,૨૩૩ બાળકોએ બીજો ડોઝ લેવાનો બાકી છે. ૧૫ થી ૧૮ વર્ષની વય ધરાવતા ૧,૦૪,૨૦૪ કિશોરોમાંથી ૪૦,૭૧૬ જણાએ હજુ સુધી પ્રથમ રસીનો ડોઝ મુકાવ્યો નથી. જ્યારે ૪૧,૮૯૦ કિશોરો કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા આવ્યા નથી.અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. રોજના ૩ જેટલા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે રસીકરણ જરૂરી છે જે લોકોને કોરોના સામે લડવામાં મદદરૂપ બનશે. જિલ્લામાં રવિવારે માંડલ અને સાણંદમાં મળીને કુલ ૩ કોરોનાના કેસે નોંધાયા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments