Money Totke - આ ઝાડનું એક પાન ચુપચાપ મુકી દો તિજોરીમાં.... ઘરમાં આવશે પૈસા જ પૈસા
Publish: Fri, 7 Jul 2017 (14:47 IST)
Updated: Fri, 7 Jul 2017 (15:11 IST)
શાસ્ત્રો મુજબ પીપળના વૃક્ષને ચમત્કારી માનવામાં આવ્યુ છે અને તેમા અનેક દેવી દેવતાઓનો વાસ છે. આ જ કારણે આ ઝાડની આસપાસ કરવામાં આવેલ પૂજા કે ઉપાય ખૂબ જલ્દી અસર બતાવે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રૂપે પીપળના નાના-નાના સામાન્ય ઉપાય પણ કરશે તો તે થોડા જ સમયમાં પોતાની કિસ્મત બદલી શકે છે.
શનિવારના દિવસે પીપળનું એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના ઉપર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ આ પાનને ધૂપ-દીપ કરીને તમારા પર્સ કે તિજોરીમાં મુકી દો. દરેક શનિવારે પૂજા સાથે આ પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકીટ કે તિજોરી ક્યારેય ધનથી ખાલી નહી થાય. જુના પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો.
અઠવાડિયાના દર મંગળવાર અને શનિવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠો. ત્યારબાદ નિત્ય કર્મોથી પરવારીને કોઈ પીપળના ઝાડ પરથી 11 પાન તોડી લો. ધ્યાન રાખો કે પાન પૂરા હોવા જોઈએ. ક્યાયથી પણ તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ. આ 11 પાન પર સ્વચ્છ જળથી કુમકુમ કે અષ્ટગંધ કે ચંદન મિક્સ કરીને તેનાથી શ્રીરામનું નામ લખો. નામ લખતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ત્યારબાદ શ્રી રામ નામ લખેલા આ પાનની એક માળા બનાવો. આ માળાને કોઈ પણ હનુમાનજીના મંદિર જઈને ત્યા બજરંગબલીને અર્પિત કરો. આ રીતે આ ઉપાય કરતા રહો. થોડા જ સમયમાં તમને સકારાત્મક પરિણામ જોવા મળશે.
Publish: Fri, 7 Jul 2017 (14:47 IST)
Updated: Fri, 7 Jul 2017 (15:11 IST)