સંબંધિત સમાચાર
- વાયુ વાવાઝોડાની અસર : 37 તાલુકાઓમાં અડધાથી બે ઇંચ વરસાદ
- વાવાઝોડાની અસર / વલસાડમાં સ્કૂલોમાં ત્રણ દિવસની રજા જાહેર, દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત
- સ્થળાંતરિત લોકો માટે 10 લાખથી વધુ ફુડ પેકેટ તૈયાર કરાયા, 10 જિલ્લાની 5950 સગર્ભાઓને હોસ્પિટલ ખસેડાઈ
- વાયુનો કહેરઃ એમ્બ્યુલન્સમાં પ્રસૂતી તો ક્યાંક ગર્ભવતી માતાને બોટમાં લાવવામાં આવી
- વાયુની અસર / પોરબંદરમાં ભૂતેશ્વર મંદિર ધરાશાયી
વાવાઝોડાની અસર -કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો
ગાંધીનગર: રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ: ૧૩/૦૬/૨૦૧૯ને ગુરૂવારના રોજ સવારે ૬.૦૦ થી બપોરના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળા, ભાવનગર, વલભીપુર મળી કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત રાજયના ગારીયાધાર, ઉના, બરવાળા, માંગરોળ, ગીર ગઢડા, લીલીયા, સાવરકુંડલા, તાલાળા, જેસર, કલ્યાણપુર, બાબરા, વેરાવળ, નસવાડી, નવસારી, ચોર્યાસી અને જલાલપોર મળી કુલ ૧૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

