રવિવાર, 22 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238880{main}( ).../bootstrap.php:0
20.14546088448Zend_Application->run( ).../bootstrap.php:62
30.14546088584Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.14546089664Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.16356401320Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.16786733528Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.16796749304Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.99817288432partial ( ).../ManagerController.php:848
90.99817288872Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.99837293736call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.99837294480Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.99867308240Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.99877325256Zend_View->_run( ).../Abstract.php:888
140.99877327184include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 4 જૂન 2021 (07:27 IST)

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો ધીરે ધીરે થઈ રહ્યો છે અંત,નવા કેસ 1207 અને રિકવરી રેટ 95.78 ટકા

દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1207 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 3018 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 95.78 ટકાએ પહોંચ્યો હતો. 
 
જો રસીકરણની વાત કરીએ તો 4261 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ અને 4287 વર્કર્સને રસીનો બીજો ડોઝ આજે આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના કુલ 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18થી 45 વર્ષ સુધીનાં કુલ 1,75,359 લોકોને રસી અપાઇ ચુકી છે. 
 
જો રાજ્યનાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં આજે કુલ 24,404 કેસ નોંધાયા છે. જે પૈકી 429 લોકો વેન્ટિલેટર પર છે. 23975 લોકો સ્ટેબલ છે. 7,78,976 લોકોને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે. 9890 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1, અને જામનગર 1 દર્દીનું મોત થયા છે.
 
આ ઉપરાંત વડોદરા 1, સુરત 2, ગીર સોમનાથ 1, રાજકોટ 1, ભાવનગર 1, સાબરકાંઠા 1, જામનગર 1, અને છોટા ઉદેપુરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 17  દર્દીઓના મોત થયા છે.