રવિવાર, 22 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238640{main}( ).../bootstrap.php:0
20.24376088216Zend_Application->run( ).../bootstrap.php:62
30.24376088352Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.24376089408Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.27026400440Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.28816732864Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.28826748664Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.44037278952partial ( ).../ManagerController.php:848
91.44037279392Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.44057284256call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.44057285000Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.44097298888Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.44097315904Zend_View->_run( ).../Abstract.php:888
141.44097317832include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 10 મે 2019 (11:48 IST)

અયોધ્યા વિવાદ - SC એ મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ મામલે શુક્રવારે સુનાવણી કરી છે અને તેમાં મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમ સુનાવણી થઈ છે. આ સુનાવણીમાં મધ્યસ્થી સમિતિએ વધુ સમયની માગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બૅન્ચે માન્ય રાખી છે.
 
આ અગાઉ જસ્ટિસ કલિફુલ્લા કમિટીએ મધ્યસ્થીને લઈને પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો હતો અને વધુ સમયની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે 8 માર્ચે પોતાના નિર્ણયમાં આ મામલે મધ્યસ્થીની મંજૂરી આપી હતી અને મધ્યસ્થીઓની નિમણૂક કરી હતી. આ મધ્યસ્થીઓમાં જસ્ટીસ કલિફુલ્લા, વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી-શ્રી રવિશંકર સામેલ છે.
 
આ વિવાદના સર્વસામાન્ય સમાધાનની શક્યતા શોધવા માટે ટોચ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એફએમઆઈ કલીફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચનાના 6 માર્ચના આદેશ પછી પહેલી વખત આ મામલાની સુનાવણી શુક્રવારે થશે. આ સમિતિના અન્ય સભ્યોમાં આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ અધિવક્તા શ્રીરામ પાંચૂનો સમાવેશ હતો. 
 
ટોચની કોર્ટે મધ્યસ્થતા માટે રચાયેલ આ સમિતિને ફૈજાબાદમાં બંધ રૂમમાં કાર્યવાહી કરવા અને તેને આઠ અઠવાડિયામાં પૂરો કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે બધા પક્ષોએ મધ્યસ્થતા દ્વારા સમાધાન શોધવાનો વિરોધ કર્યો હતો અને કોર્ટને કહ્યુ હતુ કે તે જ આ વિવાદમાં નિર્ણય આપે. પણ કોર્ટે કહ્યુ હતુ કે તમે એક એક વાર પરસ્પર ઉકેલ લાવવા બેસો તો ખરા. 
 
સમિતિએ ગુરૂવારે પોતાની અંતરિમ રિપોર્ટ કોર્ટને આપી દીધી. જેમા તેમણે જણાવ્યુ કે આ મુદ્દો પરસ્પર વાતચીતથી ઉકેલી શકાય છે કે નહી.  બીજી બાજુ મધ્યસ્થતા પ્રક્રિયા દરમિયાન અન્ય પક્ષોનુ શુ વલણ રહ્યુ છે. કોર્ટ આ રિપોર્ટને જોઈને નક્કી કરશે કે આ મામલે આગળ કાર્યવાહી કરવામાં આવે.