સંબંધિત સમાચાર
- Chardham Yatra- ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે ચારધામ યાત્રા, જાણો ક્યારે ખુલશે કેદારનાથ-બદ્રીનાથ અને ગંગોત્રી-યમુનોત્રીના દરવાજા?
- નવરાત્રિના 9 દિવસ સુધી માંસ અને માછલીની દુકાનો બંધ રહેશે, ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવાશે
- ગ્રેટર નોઈડાની ગર્લ્સ હોસ્ટેલમાં લાગેલી આગમાં, છોકરીઓ જીવ બચાવતી વખતે પડી ગઈ
- જેલમાં મહિલા કેદીઓને શારીરિક સંબંધોના બદલામાં મળે છે ભોજન, PM મોદીને લખેલા પત્રમાં ખુલ્યું સત્ય
- કોંગ્રેસ નેતાએ ઔરંગજેબ અને ટીપૂ સુલ્તાનની તસ્વીર શેયર કરીને લખ્યુ વિવાદિત નિવેદન, કેસ નોંધાયો
કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરા પર પ્રતિબંધ, મંદિર સમિતિએ બનાવ્યા કડક નિયમો
chardham yatra 2025: કેદારનાથ ધામમાં મંદિરની ત્રીસ મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રીલ અને વિડીયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મે મહિનામાં શરૂ થનારી કેદારનાથ યાત્રાને લઈને આ નિર્ણય લીધો છે.
કેદારનાથ યાત્રાના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર, પોલીસ પ્રશાસન તેમજ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ કરી લીધી છે. કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા યાત્રાળુઓને વ્યવસ્થિત રીતે દર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, 2 મેથી શરૂ થનારી યાત્રા પહેલા કેદારનાથ ધામ મંદિરના 30 મીટરની અંદર મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રીલ અને વીડિયો બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મે મહિનામાં શરૂ થનારી કેદારનાથ યાત્રાને લઈને આ નિર્ણય લીધો છે.

