Publish: Sun, 19 Aug 2018 (12:10 IST)Updated: Sun, 19 Aug 2018 (12:12 IST)
રવિવારે સવારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અસ્થિઓને દિલ્હીના સ્મૃતિ સ્થળથી ત્રણ કલશમાં ભરાયું. ત્યારબાદ પરિજન અસ્થિ કલશને લઈને હરિદ્વાર માટે નિકળ્યા. અસ્થિ કલશ લઈને આવ્યા વિશેષ વિમાનમાં 7 લોકો સવાર હતા. અટલજીના જમાઈ રંજન ભટ્ટાચાર્યના હાથમાં અસ્થિ કલશ હતો. તેની સાથે પત્ની નમિતા ભટ્ટાચાર્ય, દીકરી નિહારિકા સાથે પરિવારના બે બીજા મહિલાઓ પણ હતી. જૉલીગ્રાંટથી બે જુદા જુદા હેલીકોપટરમાં પરિજન અને ભાજપા નેતા હરિદ્વાર માટે રવાના થયા.