શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238784{main}( ).../bootstrap.php:0
20.52236088160Zend_Application->run( ).../bootstrap.php:62
30.52236088296Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.52236089368Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.59796407104Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.62436739960Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.62456755736Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.79247310288partial ( ).../ManagerController.php:848
91.79247310728Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.79267315592call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.79267316336Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.79327330528Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.79327347528Zend_View->_run( ).../Abstract.php:888
141.79327349456include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : મંગળવાર, 1 માર્ચ 2022 (07:31 IST)

Maha Shivratri 2022: ફક્ત એક ખાસ બિલિપત્ર તમને કરી દેશે માલામાલ, આજ મહાશિવરાત્રી પર કરો આ ઉપાય

Maha Shivratri 2022: મહાશિવરાત્રિ નિમિત્તે આજે સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તમામ ભક્તોએ ભગવાન ભોલેનાથની પૂજા શરૂ કરી દીધી છે. ઘણા લોકો પોતાના ઘરે રુદ્રાભિષેક પણ કરતા હોય છે. આ વર્ષે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહનો તહેવાર મહાશિવરાત્રી પર ધનિષ્ઠ નક્ષત્રમાં પરિઘ યોગ રચાયો છે. ધનિષ્ઠા પછી શતભિષા નક્ષત્ર રહેશે. જ્યારે પરિધ યોગ પછી શિવયોગ થશે. પરિધ યોગમાં શત્રુઓ સામે બનાવેલી રણનીતિમાં સફળતા મળે છે. શત્રુઓ પર વિજય મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
મહાશિવરાત્રી પર ગ્રહોનો યોગ 
 
આજે 12મા ભાવમાં મકર રાશિમાં પંચગ્રહી યોગ બને છે. મંગળ અને શનિની સાથે બુધ, શુક્ર અને ચંદ્ર આ રાશિમાં રહેશે. ચઢાણમાં સૂર્ય અને ગુરુનો સંયોગ કુંભ રાશિમાં રહેશે. રાહુ ચોથા ભાવમાં વૃષભમાં રહેશે જ્યારે કેતુ દસમા ભાવમાં વૃશ્ચિક રાશિમાં રહેશે.
 
મહાશિવરાત્રીનુ શુભ મુહુર્ત 
 
એવું માનવામાં આવે છે કે આજે મહાશિવરાત્રિના દિવસે ભગવાનના ભગવાનને સાચા હૃદયથી કરવામાં આવેલી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે. જ્યોતિષાચાર્ય અનિરુદ્ધ જોષીએ જણાવ્યું કે આજે સવારે 3.16 વાગ્યાથી શરૂ થઈને 2જી માર્ચે સવારે 10 વાગ્યા સુધી મહાશિવરાત્રિ રહેશે. સાંજે 6:21 થી 9:27 વચ્ચે પ્રથમ પ્રહરની પૂજા કરવામાં આવશે.બીજા પહરની પૂજા 9:27 મિનિટથી 12:33 મિનિટની વચ્ચે, ત્રીજા પહરની પૂજા સવારે 12:33 મિનિટથી 3:39 દરમિયાન અને ચોથા પહરની પૂજા 3:39 મિનિટથી 6:45ની વચ્ચે થશે.  આજે સવારે 11.47 થી 12.34 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આ પછી બપોરે 02.07 થી 02.53 સુધી વિજય મુહૂર્ત રહેશે. આ બંને મુહૂર્ત પૂજા કરવા અથવા કોઈપણ શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ છે. સંધ્યાકાળ મુહૂર્ત સાંજે 05.48 થી 06.12 સુધી ગોધૂલિ મુહુર્ત રહેશે.
 
પૂજા વિધિ 
જ્યોતિષ અનિરુદ્ધ જોશીએ  જણાવ્યું કે આ દિવસે ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ.   કેસરના 8 લોટા પાણી અર્પણ કરો. આખી રાત દીવો પ્રગટાવો. ચંદનનું તિલક લગાવો. બેલના પાન, ભાંગ, ધતુરા, શેરડીનો રસ, તુલસી, જાયફળ, કમળકાકડી, ફળ, મીઠાઈ, નાગરવેલનુ પાન, અત્તર અને દક્ષિણા અર્પણ કરો. છેવટે, કેસરવાળી ખીર ચઢાવીને પ્રસાદનું વિતરણ કરો.
 
પૂજામાં બેલપત્રનું  મહત્વ
 
બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે.
 
બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે “શ્રીવૃક્ષ” તરીકે ઓળખાયું છે.
 
બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.
 
 
બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી.  બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે.-આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે. આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે.  ફળમાં કાત્યાયનીનો વાસ છે. – આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે. આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે.  બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.
 
એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને બેલપત્ર  ચઢાવવાથી તેમને ઠંડક મળે છે.  ઉલ્લેખનીય છે કે મહાદેવના પ્રિય બેલ પત્રને સંસ્કૃતમાં બિલ્વ પત્ર પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે પૂજા સમયે શિવલિંગ પર બેલપત્ર ચઢાવવાથી ભગવાન શંકર ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આટલું જ નહીં મહાશિવરાત્રિ પર ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા કરે તો તેમની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. પરંતુ યાદ રાખો કે આ બેલપત્ર 4 પાનનું હોવું જોઈએ.
 
શિવ પૂજામાં ન કરશો આ વસ્તુઓનો ઉપયોગ 
 
ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કેટલીક વસ્તુઓ ભૂલીને પણ ભોલેનાથને ચઢાવવી ન જોઈએ. શંખને ભૂલથી પણ પૂજામાં સામેલ ન કરવો જોઈએ. કંકુ અને સિંદુર ભૂલથી પણ ન લગાવવા ન જોઈએ. તુલસીના પાન પણ ન ચઢાવવા જોઈએ. નારિયેળ પાણીથી અભિષેક ન કરવો જોઈએ. પૂજા દરમિયાન કેતકી અને કેવડાનાં ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ.