Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks: કેળા જલ્દી ખરાબ નહી થાય, જાણો એક અઠવાડિયા સુધી કેળા ફ્રેશ રાખવાની ટ્રિક્સ

મંગળવાર, 4 જુલાઈ 2023 (08:53 IST)
How To Keep Banana Fresh For Long: જ્યારે પણ આપણે બજારથી કેળા ખરીદીને લાવીએ છે તો સૌથી મોટી ટેંશન એ વાતની હોય છે કે તેને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખવા, નહી તો તે ખરાબ થઈ જશે અને ખાવા લાયક નહી રહે. પણ હવે ગભરાવવાની જરૂર નથી, અમે તમારી આ ટેંશન દૂર કરી રહ્યા છીએ. 
 
આપણામાંથી કદાચ જ કોઈ માણસ એવુ હશે કે જેના ઘરમાં કેળા ન ખવાતા હોય. આ એક ખૂબ સસ્તુ  અને કોમન ફ્રૂટ હોવાની સાથે-સાથે આરોગ્ય માટે ફાયદાકારી પણ છે. પણ તેને ખરાબ થવાથી  કેવી રીતે બચાવીએ, આ એક મોટી ચિંતા છે. તો આવો અમે તમને જણાવી રહ્યા છીએ એવી ટ્રીક જેનાથી કેળા લગભગ  એક અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે. 
 
કેળાને સડવાથી બચાવવા માટે તમે બજારથી તેનુ  હેંગર ખરીદી લાવો અને તેના પર કેળાને લટકાવો. આ રીતે મુકવાથી તમે કેળાને ઘણા દિવસો પછી પણ ખાઈ શકશો. 
 
સામાન્ય રીતે આપણે  ખાવા-પીવાની વસ્તુઓને ફ્રેશ રાખવા માટે ફ્રીજનો ઉપયોગ કરીએ છે પણ કેળાની બાબતમાં આવુ નથી પણ તેને નાર્મલ રૂમ ટેમ્પ્રેચર પર મુકવા. 
 
વેક્સ પેપરનો ઉપયોગ અમે હમેશા સ્કિનની વેક્સીંગ માટે કરીએ છે પણ આ કાગળનો ઉપયોગ આપણે  કેળાને ફ્રેશ રાખવા માટે પણ કરી શકીએ છે. તે  માટે કેળાને વેક્સ પેપર પર લપેટીને કે ઢાંકીને મુકી દો. 
 
કેળાને લાંબા સમયથી સડવાથી બચાવવા છે  તો તેના ઠૂંઠાને પ્લાસ્ટીક કે સેલો ટેપથી લપેટી દો. તેનાથી તમારા કેળા ઘણા સમય સુધી ફ્રેશ રહી શકશે. 
 
વિટામિન સી ટેબલેટ કેળાને ફ્રેશ રાખવાનો એક શાનદાર અને સાઈંટીફિક ઉપાય છે. તેના માટે ટેબલેટને પાણીમાં મિક્સ કરી દો. પછી તેમાં કેળ પલાળીને મુકવા. 

વધુ જુઓ..

69 વર્ષીય 'ચાર્લ્સ શોભરાજ' જેવો ચાલાક ઠગ, જેણે 30 વર્ષ સુધી લક્ઝરી હોટેલોને લાખો-કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો

એક 'પરિણીત' સ્ત્રીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા; છોકરાએ કોર્ટ મેરેજ કરવાનો ઇનકાર કર્યો

બુલિયન બજાર અને MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓ માટે આ એક સુવર્ણ તક છે

Up Rain 24 કલાક માટે રેડ એલર્ટ, 7 લોકોના મોત, રસ્તાઓ ધરાશાયી, શાળાઓ બંધ.

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

આગળનો લેખ
Show comments