હૈદરાબાદી પનીર માત્ર 10 મિનિટમાં બનાવો
જો તમને ઝડપથી કંઈક સ્વાદિષ્ટ અને મસાલેદાર બનાવવું હોય તો હૈદરાબાદી પનીર એકદમ પરફેક્ટ છે. આ રેસીપી લંચ કે ડિનર માટે સરળતાથી બનાવી શકાય છે.
સામગ્રી
પનીર – 200 ગ્રામ
ડુંગળી – 1 બારીક સમારેલી
ટામેટું – 1 બારીક સમારેલું
લીલું મરચું – 1
આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
દહીં – 2 ચમચી
કાજુ – 8થી 10
લીલા ધાણા – 2 ચમચી
હળદર – ¼ ચમચી
લાલ મરચું પાઉડર – ½ ચમચી
ધાણા-જીરું પાઉડર – 1 ચમચી
ગરમ મસાલો – ½ ચમચી
કસૂરી મેથી – ½ ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – 2 ચમચી
બનાવવાની રીત
સૌપ્રથમ પનીરને ચોરસ ટુકડામાં કાપી લો. કાજુને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લીલું મરચું સાંતળો.
હવે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને થોડીવાર સાંતળો.
ટામેટાં, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા-જીરું પાઉડર અને મીઠું ઉમેરો.
પલાળેલા કાજુને પીસીને પેસ્ટ બનાવો અને તેને મસાલામાં ઉમેરો.
હવે દહીં ઉમેરીને સતત હલાવતા રહો, જેથી દહીં ફાટે નહીં.
તેમાં થોડું પાણી ઉમેરીને ગ્રેવીને 2-3 મિનિટ સુધી ઉકળવા દો.
હવે પનીરના ટુકડા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.
છેલ્લે ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરો.
ઉપરથી લીલા ધાણા નાખીને ગરમાગરમ સર્વ કરો.