સંબંધિત સમાચાર
- રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત
- 10 દિવસ માટે ખાંડ એકદમ છોડી દેવાથી શું થાય છે ? જાણો ખાંડ છોડવાના ફાયદા
- પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ
- રોજ સવારે ખાલી પેટે પીવો બ્લેક ટી, બ્લેક ટી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
- દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?
પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન
ભાત એ માત્ર ખોરાક નથી, પરંતુ ભારતીય થાળીનો એક જરૂરી ભાગ છે. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ભાતનો વપરાશ થાય છે. ભારતમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં સૌથી વધુ વપરાશમાં આવે છે. ભાત વિશે ઘણી માન્યતાઓ છે. કેટલાક કહે છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે, જ્યારે કેટલાક કહે છે કે ભાત શુગરનું સ્તર વધારે છે. લોકોના મનમાં બીજો પ્રશ્ન રહે છે કે પ્રેશર કૂકરમાં રાંધેલા અથવા તપેલીમાં બાફેલા કયા ભાતમાં સૌથી વધુ પોષણ હોય છે. જો તમે પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે કયો ભાત સારો છે: પ્રેશર કૂકરમાં રાંધેલા કે તપેલીમાં બાફેલા ક્યા ન્યૂટ્રીશનથી ભરપૂર છે.
1. પ્રેશર કુકરમાં બાફેલા ભાત
જ્યારે પ્રેશર કુકરમાં ચોખા રાંધવામાં આવે છે, ત્યારે બધુ પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય છે.
પોષણ: પાણી બહાર નીકળતું ન હોવાથી, બધા પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ, જેમ કે વિટામિન બી કોમ્પ્લેક્સ, અને ખનિજો, ચોખામાં રહે છે.
ફાયદો: પોષક તત્વોને સાચવવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નુકશાન : તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જે કેલરીની સંખ્યામાં થોડો વધારો કરે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ ચિંતાનો વિષય બની શકે છે.
2. તપેલામાં બાફેલા ભાત
આમાં ચોખાને મોટી માત્રામાં પાણીમાં ઉકાળવામાં આવે છે અને પછી સ્ટાર્ચ કાઢી લેવામાં આવે છે.
ન્યૂટ્રીશન - પાણી કાઢી લેવામાં આવતું હોવાથી ચોખાના ઘણા વિટામિન અને ખનિજો પણ દૂર થાય છે. પોષણની દ્રષ્ટિએ, આ ભાત રાંધેલા ભાત કરતાં થોડા ઓછા પૌષ્ટિક છે.
ફાયદા: તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વધારાનો સ્ટાર્ચ અને આર્સેનિક જેવી અશુદ્ધિઓને દૂર કરે છે. તે પચવામાં હલકું અને કેલરી ઓછું હોય છે.
નુકશાન : વિટામીન ની ઉણપ થાય છે
તમારા માટે કયા ભાત સારા ?
જો તમે વજન વધારવા માંગતા હો, તો પ્રેશર કૂકર ભાત વધુ સારા છે કારણ કે તે સંપૂર્ણ પોષણ પૂરું પાડે છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો અથવા વજન ઓછું કરવા માંગો છો, તો તેને ખાતા પહેલા એક તપેલીમાં ઉકાળીને પાણી ગાળી લેવું વધુ સારું છે, કારણ કે આનાથી સ્ટાર્ચ દૂર થાય છે જે શુગર વધારે છે.
