શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 8 જુલાઈ 2024 (07:37 IST)

શુગર કંટ્રોલ કરવા માટે પીવો આ બીજનું પાણી, તમારું સ્વાસ્થ્ય પણ થશે મજબૂત

જો તમે પણ ડાયાબિટીસને મેનેજ કરવા માંગો છો, તો તમારે મેથીદાણાને જરૂર તમારા આહારનો ભાગ બનાવવો જોઈએ. મેથીના દાણામાં જોવા મળતા તત્વો ફક્ત તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. જો કે, તમારે  મેથીદાણાનો આહારમાં સમાવેશ કરવાની યોગ્ય રીત વિશે ખબર હોવી જોઈએ. 
 
મેથીદાણાના પાણીને બનાવો તમારા ડાયેટનો એક ભાગ 
ડાયાબિટીસ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે, મેથીના બીજનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. મેથીના દાણાનું પાણી બનાવવા માટે એક તપેલીમાં એક કપ પાણી નાખો. હવે પાણીમાં લગભગ એક ચમચી મેથીના દાણા ઉમેરો. આ પછી તમારે આ પાણીને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય. હવે તમે આ પાણીને ગાળીને પી શકો છો.
 
કયા સમયે કરશો મેથી દાણાનું સેવન  ?
સવારે વહેલા ઉઠીને મેથીના દાણાનું પાણી પીવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. સારા પરિણામો મેળવવા માટે, તમારે સવારે ઉઠતાની સાથે જ એટલે કે ખાલી પેટે મેથીના દાણાનું પાણી પીવું જોઈએ. જો તમે ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીશો તો પેટ સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ સિવાય મેથીના દાણાનું પાણી પણ કોલેસ્ટ્રોલની સમસ્યાને ઓછી કરવામાં કારગર સાબિત થઈ શકે છે.
 
મળશે તમને માત્ર લાભ જ લાભ
ડાયાબિટીસ અને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાની સાથે મેથીના દાણાનું પાણી તમારા એકંદર સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. જો તમે સ્થૂળતાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો પણ તમારે મેથીના દાણાનું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આ સિવાય મેથીના દાણાના પાણીમાં રહેલા તત્વો તમારી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.