શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238496{main}( ).../bootstrap.php:0
20.30426087856Zend_Application->run( ).../bootstrap.php:62
30.30426087992Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.30436089048Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.33406401056Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.33996733584Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.34006749368Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.26287300288partial ( ).../ManagerController.php:848
91.26287300728Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.26317305600call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.26317306344Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.26347320832Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.26347337816Zend_View->_run( ).../Abstract.php:888
141.26357339760include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (17:57 IST)

1 April 2022 1 એપ્રિલથી તમારા ખિસ્સા પર ભારે પડશે આ 10 ફેરફાર

એક એપ્રિલ (1 April 2022)થી ઘણા ફેરફાર થઈ રહ્યા છે જેનો અસર તમારા ખિસ્સા પર પડશે એક તરફ જ્યાં પીએફ અકાઉંટ અને ક્રિપ્ટોકરંસી પર ટેક્સ ચુકાવવો પડશે. તેમજ હોમ લોન પર મળી વધારાની છૂટથી પણ હાથ ધોવુ પડશે. તે સિવાય ઘણા બીજા ફેરફાર પણ થઈ રહ્યા છે જે તમારા ખિસ્સા પર ભાર વધારશે. 
 
1. હોમ લોન પર વધારાનું ડિસ્કાઉન્ટ સમાપ્ત થાય છે
2019ના બજેટમાં આવકવેરા કાયદામાં કલમ 80EEA ઉમેરવામાં આવી હતી. આ કલમ હેઠળ, પ્રથમ વખત ઘર ખરીદનારાઓને હોમ લોનના વ્યાજ પર રૂ. 1.5 લાખની કપાત મળશે.વધારાની કર કપાતનો લાભ મળતો હતો. બજેટ 2022માં આ વિભાગને આગળ વધારવામાં આવ્યો ન હતો.
 
2. પીએફ એકાઉન્ટ પર ટેક્સ
જે ફેરફારો થવા જઈ રહ્યા છે તેમાં સૌથી મહત્વપૂર્ણ પીએફ એકાઉન્ટ પરનો ટેક્સ છે. EPF ખાતામાં 2.5 લાખ સુધીની કરમુક્ત યોગદાન મર્યાદા લાદવામાં આવી રહી છે. જો ઉપર જો યોગદાન આપવામાં આવશે, તો વ્યાજની આવક પર કર લાગશે. તે જ સમયે, સરકારી કર્મચારીઓના GPFમાં કરમુક્ત યોગદાનની મર્યાદા વાર્ષિક 5 લાખ રૂપિયા હશે.
 
3. ક્રિપ્ટોમાંથી કમાણી પર ટેક્સ
બજેટ 2022માં તમામ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ અથવા ક્રિપ્ટો પર 30 ટેક્સ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિપ્ટોકરન્સીના વેચાણથી રોકાણકાર દ્વારા થયેલા નફા પર ટેક્સ ચૂકવવો થશે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સીનું વેચાણ કરશે ત્યારે તેના વેચાણના એક ટકા પર TDS પણ કાપવામાં આવશે.
 
4. ડાકઘરમાં રોકડ વ્યાજ નહી 
ડાકઘરની માસિક આવક યોજના,વરિષ્ઠ નાગરિક બચત યોજના અને ડાકઘર ટર્મ ડિપોજિટમાં નિવેશથી સંકળાયેલા નિયમ પણ બદલી રહ્યા છે. તેમાં વ્યાહની રાશિ રોક્ડ નહી મળશે. 
 
5. દવાઓ મોંઘી થશે આશરે 800 જરૂરી  દવાઓની કીમતમાં 10.7ના વધારા થશે. તેમાં પેરૉસિટૉમોલ પણ શામે લ છે. રાષ્ટ્રીય દવા મૂલ્ય નિર્ધારક પ્રાધિકરણએ આ દવાઓના થોક મૂલ્ય સૂચકાંકમાં ફેરફારને તેમની મંજૂરી આપી દીધી છે. 
 
6. ઈ-ઈનવોઈસિંગનો નિયમ બદલાશે
CBIC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ ઇ-ચલણ (ઇલેક્ટ્રોનિક ચલણ) જારી કરવા માટે ટર્નઓવર મર્યાદા વધારી છે. અગાઉ નિર્ધારિત મર્યાદા 50 કરોડથી ઘટાડીને 20 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ નિયમ પણ 1 એપ્રિલ, 2022થી અમલમાં આવી રહ્યો છે.
 
7. એક્સિસ બેંકના ગ્રાહકોને આંચકો
એક્સિસ બેંકમાં સેલેરી અથવા સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. બેંકે સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ લિમિટ 10 હજારથી વધારી દીધી છે 12 હજાર કરવામાં આવી છે. બેંકે મફત રોકડ ઉપાડની નિર્ધારિત મર્યાદાને ચાર ગણી અથવા રૂ. 1.5 લાખ કરી છે.
 
8. માત્ર મ્યુચ્યુઅલ ફંડમાં જ ડિજિટલ પેમેન્ટ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની ચૂકવણી ચેક, બેંક ડ્રાફ્ટ અથવા અન્ય ભૌતિક માધ્યમો દ્વારા કરી શકાતી નથી. મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન એગ્રીગેશન પોર્ટલ એમએફ યુટિલિટીઝ (MFU) ચેક-ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચૂકવણી બંધ કરવા જઈ રહ્યું છે. આ પછી, તમને રકમ જમા કરાવવા માટે માત્ર UPI અથવા નેટબેંકિંગની સુવિધા મળશે.
 
9. ઓટોમોબાઈલ કંપનીઓ કિંમત વધારશે
મોટી કંપનીઓએ વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સે કહ્યું છે કે તે તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5 ટકાનો વધારો કરશે. મર્સિડીઝ બેન્ઝ ભારતે એમ પણ કહ્યું છે કે તે વાહનોની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે. ટોયોટાએ કિંમતોમાં ચાર ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. જ્યારે BMW કિંમતો 3.5 સુધી વધશે.