Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi Special Beauty Tips: હાથમાં લાગેલા હોળીના રંગ દૂર કરવા અજમાવો આ ઘરેલૂ ઉપાય

રવિવાર, 24 માર્ચ 2024 (09:16 IST)
Holi Special Beauty Tips: હોળીમાં આપણે બધાએ રંગો સાથે રમવાની અને મિત્રો સાથે મોજ-મસ્તી કરવાની તૈયારીઓ કરી છે, પરંતુ શું તમે તમારી ત્વચાની સંભાળ વિશે કંઈ વિચાર્યું છે? ઘણા લોકોના હાથની ત્વચા  શુષ્ક હોય છે અને તે ખૂબ જ કદરૂપું દેખાવા લાગે છે. જો તમે તમારા હાથને આ રંગોના કારણે થતી સમસ્યાઓથી બચાવતા નથી, તો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આજે જાણીએ કે 
હોળીના રંગોથી તમે તમારા હાથની સંભાળ કેવી રીતે રાખી શકો તે તમને જણાવશે.
 
હોળીના રંગથી હાથની દેખભાલ આ રીતે કરવી 
 
- હોળીના રંગ રમતા પહેલા તમારા હાથમાં નારિયેળ તેલ લગાવી લેવા જોઈએ. તેનાથી, જ્યારે તમે રંગો સાથે રમો છો, ત્યારે તે રંગો તમારા હાથને વળગી રહેશે નહીં. તમે નારિયેળ તેલને બદલે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો અથવા તમે મોઇશ્ચરાઇઝર પણ લગાવી શકો છો.
 
- હોળી રમ્યા પછી તમે આ રંગોને રિમૂવ કરવા માટે હાથમાં તમે ચણાનો લોટ, હળદર અને દહીંનો પેસ્ટ પણ લગાવી શકો છો. આ મિશ્રણને હાથ પર લગાવો અને 10 મિનિટ પછી બીજા હાથથી સ્ક્રબ કરો.આ રીતે રંગ રિમૂવ કરી શકો છો.
 
- જો તમારા હાથ હોળીના રંગ રમ્યા પછી ડ્રાઈ થઈ ગયા છે તો તમે એલોવેરા જેલથી હાથની મસાક કરવી જોઈએ. તમે એલોવેરા જેલમાજં ગુલાબ જળ પણ નાખી શકો છો . તેનાથી તમારા હાથની ત્વચ ખૂબ સારી રીતે માશ્ચરાઈજ થશે. 
 
- જો તમારા હાથ ખરબચડા જેવા થઈ ગયા છે તો તમે મીઠાના પાણીમાં થોડી વાર હાથને ડુબાડી રાખો અને પછી હાથને કૉફીથી સ્ક્ર્બ કરવુ છે. આ માટે મધમાં કોફી પાવડર મિક્સ કરીને હાથ પર લગાવો. તમારા હાથની ડેડ સ્કિન તો દૂર થશે જ, સાથે તમારા હાથની ત્વચા પણ ટાઈટ થઈ જશે અને તમારા હાથ સુંદર દેખાશે.
 
- તમે સંતરાના છાલટાને સુકાવીને અને દહીંમાં મિક્સ કરીને પણ હેંડ સ્ક્રવ તૈયાર કરી શકો છો. તેનાથી પણ તમારા હાથની ડેડ સ્કિન રિમૂવ થશે. ત્વચા સોફ્ટ થઈ જશે અને ચમક આવશે.

- જો હોળીના રંગોને કારણે તમારા હાથની ત્વચા ખરવા લાગે છે તો ભૂલથી પણ સ્ક્રબનો ઉપયોગ ન કરો અને હાથ પર દેશી ઘીનો ઉપયોગ કરો. જો તમે ઈચ્છો તો પાણીમાં દૂધ મિક્સ કરી તેમાં હાથ ડૂબાડી રાખો આ નિયમિત રીતે કરશો તો તમને ઘણો ફાયદો થશે.
 
- જો તમારા હાથના નખ પર હોળીનો રંગ લાગી ગયો હોય, તો તમારે એલોવેરા જેલ અને લીંબુનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવું જોઈએ અને તેને કોટન બોલથી નખ પર લગાવો. આમ કરવાથી નખ પરનો રંગ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.
 
- જો હોળીના રંગો સાથે રમ્યા પછી તમારા હાથ કળતર થાય છે, તો તમારે મધ લગાવવું જોઈએ. તમે મધમાં થોડી હળદર પણ મિક્સ કરી શકો છો. તે એન્ટિસેપ્ટિક છે અને તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે.આ મિશ્રણથી તમારો દુખાવો ઓછો થશે
 
- જો હોળીના રંગોથી તમારી આંગળીઓના ક્યુટિકલ્સને નુકસાન થયું હોય તો તમારે દૂધમાં હળદર મિક્સ કરીને ક્યુટિકલ્સ પર લગાવો. જો તમે ઈચ્છો તો નારિયેળ તેલથી પણ આ સમસ્યા દૂર કરી શકો છો.
 
Edited By-Monica sahu 

વધુ જુઓ..

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને બનાવ્યા ઉમેદવાર

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments