સંબંધિત સમાચાર
- ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો
- Gir national park- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
- Meladi maa mandir- દ્વિમુખી મેલડી માતાનું મંદિર રાજકોટ્
- કચ્છ રણ ઉત્સવથી માત્ર 150 કિમી દૂર છે આ 3 જોવા લાયક સ્થળો જેની તમે મુલાકત લઈ શકો છો
- ગળતેશ્વર મહાદેવ મંદિર Galteshwar Mahadev Mandir Surat
શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા
chotila parvat
ચોટીલામાં ચામુંડા માતાજીનુ પ્રસિદ્ધ મંદિર આવેલુ છે.
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત છે.
ચોટીલા કેટલા પગથિયા છે
ચામુંડાની સિંહ પર સવાર છે. તેના એક હાથમાં ત્રિશૂળ અને તલવાર જેવા શસ્ત્રો છે. વડના વૃક્ષ પર માતા ચામુંડાનો વાસ માનવામાં આવે છે.
ચોટીલામાં માતાનાં દર્શન માટે 650 પગથિયાં ચડવા પડે છે ચોટીલા પર્વત 1,173 ફૂટની ઊંચાઈએ ચામુંડા માતા બિરાજમાન છે. છેક નીચેથી ઉપર સુધી 650 હજાર પગથિયા છે.
રાત પડતાં જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત
ડુંગર પર આવે છે સિંહ
ચોટીલામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે પણ એક માન્યતા મુજબ સાંજની આરતી પછી અહીં રોકાવવાની મનાહી છે. સાંજની આરતી પછી પુજારી સહિત બધા લોકો ડુંગરથી નીચે આવી જાય છે. મૂર્તિ સિવાય એક પણ મનુષ્ય ત્યાં ફરકતો નથી. માત્ર નવરાત્રીમાં પુજારી સહિત પાંચ લોકોને રોકાવવાની ટ્રસ્ટે મંજૂરી આપી છે.
એવી માન્યતા છે કે આજે પણ કાલભૈરવ માતાજીની ચોકીની રક્ષા કરે છે. સાથે આવુ પણ કહેવાય છે કે અહીં રાત્રે સિંહ આવે છે ડુંગર પર સિંહ ફરતો જોવા મળે છે.
Edited By- Monica Sahu
